બ્રિટન - વન પોલ સરવે

બ્રિટન - વન પોલ સરવે

બ્રિટનમાં હવે દારૂનું સેવન કરનારા લોકોની સંખ્યા ઘટી રહી છે. વાસ્તવમાં, એક સમયે અહીં દારૂના સેવનને કલ્ચરનો હિસ્સો મનાતું હતું પરંતુ હવે લોકો તેના સેવનથી બચવા માટે અનેક પ્રકારનાં બહાનાં બનાવે છે. વાસ્તવમાં, 43% બ્રિટિશ લોકો સમારોહ એ માટે ટાળે છે કારણ કે ત્યાં તેમના પર દારૂ પીવાનું દબાણ કરાય છે.

વન પોલ કંપનીએ તાજેતરમાં જ બ્રિટનમાં દારૂનું સેવન કરતા 2,000થી વધુ લોકો પર એક સરવે કર્યો. તે અનુસાર 10માંથી 3એ પ્રસંગમાં દબાણમાં આવીને દારૂનું સેવન કર્યું. તેમાંથી 33%એ મિત્રોના દબાણથી તો 30%એ સહકર્મીઓના દબાણથી આવું કર્યું.

એક ચતુર્થાંશ બ્રિટિશરોને લગ્નમાં દારૂનું સેવન કરવા માટે દબાણનો સામનો કરવો પડે છે જ્યારે 22% પાર્ટીમાં જતા પહેલાં પણ ડ્રિન્કિંગ અંગે તપાસ કરે છે. 28% લોકો તો ન પીવાનું બહાનું બનાવે છે. એક તૃતીયાંશ એટલે કે 32%એ દાવો કર્યો કે તેઓ મેડિસિન લેતા હોવાથી દારૂનું સેવન ટાળે છે.

સેવન ન કરવાનાં સચોટ કારણો પર જ લોકોને ભરોસો
38%એ સવારે વહેલું ઊઠવાનું કહીને દારૂ પીવાનું ટાળ્યું હતું. 10માંથી 3 લોકો જણાવે છે કે તેઓ ડ્રાઇવર છે, ભલે તે ન હોય. જોકે, લોકોએ દારૂનું સેવન ન કરવાનાં અસલી કારણોમાં 32%એ કહ્યું કે તેઓ આગામી દિવસે સ્ફૂર્તિ અનુભવવા માંગે છે. 26% રાત્રે પૂરતી ઊંઘ લેવા માંગે છે. જ્યારે સ્વસ્થ જીવન જીવવા માટે 25% બ્રિટનના લોકો દારૂનું સેવન કરવાનું ટાળી રહ્યા છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow