બ્રિટન - વન પોલ સરવે

બ્રિટન - વન પોલ સરવે

બ્રિટનમાં હવે દારૂનું સેવન કરનારા લોકોની સંખ્યા ઘટી રહી છે. વાસ્તવમાં, એક સમયે અહીં દારૂના સેવનને કલ્ચરનો હિસ્સો મનાતું હતું પરંતુ હવે લોકો તેના સેવનથી બચવા માટે અનેક પ્રકારનાં બહાનાં બનાવે છે. વાસ્તવમાં, 43% બ્રિટિશ લોકો સમારોહ એ માટે ટાળે છે કારણ કે ત્યાં તેમના પર દારૂ પીવાનું દબાણ કરાય છે.

વન પોલ કંપનીએ તાજેતરમાં જ બ્રિટનમાં દારૂનું સેવન કરતા 2,000થી વધુ લોકો પર એક સરવે કર્યો. તે અનુસાર 10માંથી 3એ પ્રસંગમાં દબાણમાં આવીને દારૂનું સેવન કર્યું. તેમાંથી 33%એ મિત્રોના દબાણથી તો 30%એ સહકર્મીઓના દબાણથી આવું કર્યું.

એક ચતુર્થાંશ બ્રિટિશરોને લગ્નમાં દારૂનું સેવન કરવા માટે દબાણનો સામનો કરવો પડે છે જ્યારે 22% પાર્ટીમાં જતા પહેલાં પણ ડ્રિન્કિંગ અંગે તપાસ કરે છે. 28% લોકો તો ન પીવાનું બહાનું બનાવે છે. એક તૃતીયાંશ એટલે કે 32%એ દાવો કર્યો કે તેઓ મેડિસિન લેતા હોવાથી દારૂનું સેવન ટાળે છે.

સેવન ન કરવાનાં સચોટ કારણો પર જ લોકોને ભરોસો
38%એ સવારે વહેલું ઊઠવાનું કહીને દારૂ પીવાનું ટાળ્યું હતું. 10માંથી 3 લોકો જણાવે છે કે તેઓ ડ્રાઇવર છે, ભલે તે ન હોય. જોકે, લોકોએ દારૂનું સેવન ન કરવાનાં અસલી કારણોમાં 32%એ કહ્યું કે તેઓ આગામી દિવસે સ્ફૂર્તિ અનુભવવા માંગે છે. 26% રાત્રે પૂરતી ઊંઘ લેવા માંગે છે. જ્યારે સ્વસ્થ જીવન જીવવા માટે 25% બ્રિટનના લોકો દારૂનું સેવન કરવાનું ટાળી રહ્યા છે.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow