રશિયામાં સ્કૂલોમાં બાળકોનું બ્રેઈનવૉશ!

રશિયામાં સ્કૂલોમાં બાળકોનું બ્રેઈનવૉશ!

રશિયાની સ્કૂલોમાં દેશભક્તિના પાઠ ભણાવાય છે. એક રીતે તેઓનું બ્રેઈનવૉશ કરાય છે કે યુક્રેન પર હુમલો યોગ્ય અને જરૂરી હતો. છેલ્લા બે મહિનાથી ‘કન્વર્શેસન અબાઉટ ઇમ્પોર્ટંટ થિંગ્સ’ નામથી રશિયા દરેક સ્કૂલમાં વિશેષ વર્ગ ચલાવી રહ્યું છે. તેમાં જણાવાય છે કે કેમ રશિયન સૈનિકો દ્વારા યુક્રેની વિસ્તારો પર કબજો કરવો ઐતિહાસિક ન્યાય છે. તેની પાછળ તર્ક અપાય છે કે યુક્રેન મૂળ રીતે રશિયાનો જ હિસ્સો હતો. આ વર્ગમાં ગેરહાજર રહેનારા બાળકો, માતા-પિતા અને શિક્ષકો પર સરકાર કાર્યવાહી કરી રહી છે.

મૉસ્કોમાં આ પ્રકારના વિશેષ વર્ગમાં ગેરહાજર રહેનાર 10 વર્ષીય વાર્યા શોલિકરના રિપોર્ટને યૂથ વેલફેર ઓફિસને મોકલાયો હતો. ત્યારબાદ તેના માતા-પિતાને ઓફિસે બોલાવીને જબરદસ્તીથી મનોવૈજ્ઞાનિક કાઉન્સિલિંગ કરાવાયું હતું. તેના ઘરની પણ તપાસ કરાઇ હતી. ઘરમાં અંદર થઇ રહેલા લીલા અને પીળા રંગને આપત્તિજનક દર્શાવાયો હતો, કારણ કે આ રંગ યુક્રેનના ધ્વજમાં છે.

બાળકીના લેપટોપ અને ઇન્ટરનેટ ગતિવિધિઓની તપાસ કરાઇ હતી. આરોપ કરાયો કે બાળકી લેપટોપ પર ઉગ્રવાદી ચેનલ જોઇ રહી હતી તેમજ સોશિયલ મીડિયા પર યુક્રેન સમર્થિત મીમ્સ પોસ્ટ કરી રહી હતી. આવા વર્ગથી દૂર રહેનારા શિક્ષકોને પણ કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે. શિક્ષક તાટયાના ચેરવેન્કો પર ટ્રાયલ ચાલી રહી છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow