રોગપ્રતિકારક શક્તિમાં વધારો, તો ચિંતા પણ દૂર થશે અને ડેન્ડ્રફને દૂર કરવા માટે બેસ્ટ

રોગપ્રતિકારક શક્તિમાં વધારો, તો ચિંતા પણ દૂર થશે અને ડેન્ડ્રફને દૂર કરવા માટે બેસ્ટ

શું તમે પણ નાનપણમાં ખાટા-મીઠા, કાચા-પાકા બોર ઝાડ પરથીતોડીને ખાધા છે ?જો તમે ખાધા હોય તો તમે તેનો અનોખો સ્વાદ ક્યારે પણ ભૂલી શકશો નહીં. હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે અને વસંત પંચમી નજીક આવતા જ બજારમાં બોર જોવા મળે છે. તો આવો જાણીએ બોર વિશે..

બોરથી પાંચનતંત્ર મજબૂત થાય છે
બોરમાં ફાયટોકેમિકલ્સ અને વિવિધ પ્રકારના પોષક તત્ત્વો હોય છે. ઠંડીના દિવસોમાં બોર ખાવાથી પાચન માટે જવાબદાર એન્જાઈમ્સ યોગ્ય રીતે કામ કરે છે. બોરમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે કબજિયાતને દૂર કરે છે.

હાડકાં મજબૂત બને છે
ડાયેટિશિયન ડૉ. વિજયશ્રી પ્રસાદ જણાવે છે કે, બોરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ મળી આવે છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. મેગ્નેશિયમનું પ્રમાણ વધારે હોવાથી એન્ટી-ડિપ્રેસન્ટ દવા તરીકે કામ કરે છે. સમગ્ર સિઝનમાં નિયમિતપણે બોરનું સેવન કરવાથી ચિંતા દૂર કરવામાં પણ મદદ મળે છે. બોર એમિનો એસિડ હોય છે જે શરીરને તણાવથી દૂર રાખે છે અને લોહીને પણ શુદ્ધ કરે છે.

બોરમાં આ મિનરલ્સ હોય છે
કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ અને ઝીંક.

તો આ હોય છે વિટામિન
વિટામિન A, C, B1, B2, B3 અને B9

ચહેરા પર ગ્લો જોવા મળે
ડો. વિજયશ્રી પ્રસાદ જણાવે છે કે , ભારતમાં બોરની ઘણી જાતો જોવા મળે છે. જે પૈકી ઘણા જંગલી બોર પણ છે, જે નાના કદના હોય છે. જે બોર ઉગાડવામાં આવે છે તે કદમાં મોટા હોય છે અને પોષક તત્ત્વો થી પણ ભરપૂર હોય છે.

બોરમાં વિટામિન સીનું પ્રમાણ વધારે હોય છે. જેમાં નારંગી કરતાં પણ વધુ વિટામિન C હોય છે. 100 ગ્રામ બોરમાં 69 મિલિગ્રામ વિટામિન સી હોય છે. તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ મળી આવે છે. જેના કારણે તમારી ત્વચામાં ચમક આવે છે. જો ચહેરા પર ખીલ હોય કે આંખો નીચે કાળા કુંડાળા હોય તો તે લોકોને બોર ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે.

ડેન્ડ્રફ પણ દૂર થાય છે
આપણે દરરોજ કેટલા બોર ખાવા જોઈએ? આ સવાલ પર ડૉ.વિજયશ્રી જણાવે છે કે, લોકોને શિયાળામાં ડેન્ડ્રફની સમસ્યા વધુ હોય છે. બોરમાં પ્રોટીન, વિટામિન સી, કેરેટોલાઈડ્સ, વિટામિન બી કોમ્પ્લેક્સ અને મિનરલ્સ હોય છે.એટલા માટે આપણે દરરોજ 8 થી 10 મધ્યમ કદના બોર ખાવા જોઈએ. બોર ખાવાથી વાળને પૂરતું પોષણ મળે છે. જેના કારણે વાળ પણ જાડા થાય છે.

શું બાળક વારંવાર બીમાર પડે છે?
બાળકો શિયાળામાં વધુ બીમાર પડે છે. તેમને શરદી-ખાંસી, નાકમાં પાણી આવવું, પેટ ખરાબ થવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મોસમી ફળોમાં બોર ખાવાથી બાળકોની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જે બાળકો વારંવાર બીમાર પડે છે તેમને વધુ ફાયદો થાય છે.

હાઈ બીપીના દર્દીઓ માટે રામબાણ ઈલાજ
બ્લડપ્રેશરમાં બોર ખાવું ખૂબ જ ફાયદાકારક છે. જે લોકોને હાઈ બીપી હોય તેમને પોટેશિયમથી ભરપૂર ખોરાક લેવાનું કહેવામાં આવે છે. બોર કુદરતી પોટેશિયમથી ભરપૂર હોય છે. બોરને નિયમિત ખાવાથી બ્લડ સર્ક્યુલેશનમાં વધારે છે. બીપી કંટ્રોલમાં રહે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow