માત્ર 5 રૂ.માં કંટ્રોલમાં આવશે બ્લડ સુગર, બસ ઘરે જ બનાવી લો આ આયુર્વેદિક ડ્રિંક

માત્ર 5 રૂ.માં કંટ્રોલમાં આવશે બ્લડ સુગર, બસ ઘરે જ બનાવી લો આ આયુર્વેદિક ડ્રિંક

​​​​​​​શું તમને પણ છે ડાયાબિટીસ?

આજકાલ તો જાણે ડાયાબિટીસ એક સામાન્ય બીમારી બની ગઈ છે, જેનાં દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધતી જ જાય છે.  

ડાયાબિટીસ કે જેને શુગર કે મધુમેહ પણ કહેવામાં આવે છે, એક એવી બીમારી છે જેને કંટ્રોલ કરી શકાય છે, પરંતુ તેને નાબુદ કરવી અસંભવ છે. આ જીવનશૈલી સાથે જોડાયેલ બીમારી છે જેમાં ઇન્સ્યુલિન બનવાથી તકલીફ પડે છે અને શરીરમાં બ્લડ શુગર લેવલ વધવા લાગે છે.  

ઘણા લોકો ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે દવાઓ લે છે અને ઘણા લોકો આયુર્વેદિક પ્રકારોથી બ્લડ શુગર કંટ્રોલ કરવાની કોશિશ કરે છે. જોવા જઈએ તો ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે તમે આયુર્વેદિક દવાઓ અને ઘરેલૂ ઉપચારોને પણ અપનાવી શકો છો. આવો એક આયુર્વેદિક ઉપચાર છે કોથમીરનું પાણી.

કોથમીર આમ તો તમે શાકભાજીમાં મસાલા તરીકે ઉપયોગમાં લો છો. સૂકી કોથમીર પાચન માટે સારી છે જ્યારે લીલી કોથમીરનાં પાણીનાં ઉપયોગથી બ્લડ શુગર કંટ્રોલ કરી શકાય છે.  

કોથમીરનાં પાણીનું સેવન રહેશે ફાયદાકારક

આયુર્વેદ કહે છે કે સવારે ખાલી પેટ લીલી કોથમીરનાં પાણીથી ઘણી સમસ્યાઓથી છુટકારો મળે છે. ખાસકરીને બ્લડ શુગર તો કંટ્રોલમાં રહે જ છે. લીલી કોથમીરમાં બ્લડ શુગરને કંટ્રોલ કરવાની ક્ષમતા હોય છે. લીલી કોથમીર બોડીમાંથી શુગરનાં સ્તરને ઓછું કરવામાં સહાયક બને છે અને તેના સેવનથી ઇન્સ્યુલિનની માત્રા વધવા લાગે છે. આ જ કારણે શરીરમાં શુગર હંમેશા કંટ્રોલમાં રહે છે. એટલા માટે કોથમીર ડાયાબિટીસનાં દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક રહે છે.

સાથે જ ધ્યાન રાખવું જોઈએ કે તમને જો બ્લડ શુગર લેવલ લો છે, તો કોથમીરનું પાણી ન લેવું જોઈએ, આમ કરવાથી બ્લડ શુગર લેવલ વધારે નીચે આવી જાય છે અને બીમારી વધી શકે છે.

આ સાથે જ વજન ઘટાડવા માટે પણ કોથમીરનાં પાણીનો કોઈ વિકલ્પ નથી. રોજ સવારે તેનું સેવન કરવાથી મેટાબોલિઝમ ઝડપી બને છે અને વજન ઉતારવામાં મદદરૂપ બને છે. થાઈરોઈડનાં દર્દીઓ માટે કોથમીરનું પાણી અત્યંત ફાયદાકારક સાબિત થાય છે.

કેવી રીતે તૈયાર કરવું કોથમીરનું પાણી?

  • લીલી કોથમીર લઇ આવો
  • તેને ધોઈને સાફ પત્તાઓ અલગ કરી લો અને બે ચમચી પાણી સાથે મિક્સરમાં પીસી લો.
  • હવે આ મિશ્રણને એક ગ્લાસ પાણીમાં લઈને તેને ઉકાળો.
  • થોડી વાર ઉકાળ્યા બાદ તેને ગ્લાસમાં લઇ લો.
  • હવે સ્વાદ અનુસાર, કાળું નમક અને લીંબુ નાંખીને પીવો.

કોથમીરનાં પાણીથી પાચન પણ સારું થાય છે. પરંતુ ધ્યાન રાખવું પડશે કે સામાન્ય રીતે બ્લડ શુગર તમને કેટલું રહે છે, તે જાણ્યા બાદ ડોક્ટરની સલાહથી જ સેવન કરો.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow