ચીનના રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ, 31નાં મોત

ચીનના રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ, 31નાં મોત

ચીનના યિનચુઆન શહેરમાં બુધવારે મોડી રાત્રે એક રેસ્ટોરન્ટમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 31 લોકોનાં મોત થયા હતા. ચીની મીડિયા 'સિન્હુઆ' અનુસાર ગેસ લીકેજને કારણે વિસ્ફોટ થયો હતો. 7 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માત સમયે આ વિસ્તારમાં ભારે ભીડ જોવા મળી હતી. અહીં ડ્રેગન બોટ ફેસ્ટિવલની તૈયારીઓ ચાલી રહી હતી. યિનચુઆન શહેર 'નિંગજિયા' નામના સ્વાયત્ત પ્રાંતની રાજધાની છે. આ પ્રાંતની વસ્તી 68 લાખ છે. આમાંથી 36% લોકો મુસ્લિમ છે.

ચીની મીડિયા 'સિન્હુઆ'એ અકસ્માત બાદ કેટલીક તસવીરો જાહેર કરી છે. આગ ઓલવ્યા બાદ સ્થળ પર હાજર ફાયર વિભાગની ગાડીઓ નજરે પડે છે. અગ્નિશામકો પણ ઘાયલ લોકોને એમ્બ્યુલન્સમાં લઈ જતા જોવા મળે છે.

ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે પહેલા રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ થયો હતો. આ પછી આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે તે ઝડપથી ફેલાઈ ગઈ હતી. જો કે ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.

7 મહિના પહેલાં 15 માળની બિલ્ડીંગમાં આગ લાગી હતી
ચીનના રહેણાંક વિસ્તાર અથવા ગીચ વસ્તીવાળા વિસ્તારમાં વિસ્ફોટ કે આગની આ પહેલી ઘટના નથી. 25 નવેમ્બર 2022ના રોજ શિનજિયાંગમાં એક બિલ્ડિંગના 15મા માળે આગ લાગી હતી. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. જ્યારે 9 લોકો ઘાયલ થયા હતા. ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર આગ ઇલેક્ટ્રિક સોકેટ એક્સટેન્શનના કારણે લાગી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા નહોતી.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow