જમિયત ઉલેમા ઈસ્લામની રેલીમાં બ્લાસ્ટ

જમિયત ઉલેમા ઈસ્લામની રેલીમાં બ્લાસ્ટ

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા રાજ્યના બાજૌરમાં રવિવારે એક રાજકીય રેલી દરમિયાન બ્લાસ્ટ થયો હતો. પોલીસે તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર- 44 લોકોના મોત થયા છે અને 200 લોકો ઘાયલ છે. ઘટના બાજૌરના ખાર વિસ્તારની છે. શાસક ગઠબંધનનો ભાગ જમીયત ઉલેમા ઇસ્લામ ફઝલ (JUI-F)ની રેલી અહીં ચાલી રહી હતી.

પાર્ટીએ કહ્યું- 44 કાર્યકરો માર્યા ગયા
JUI-Fના વરિષ્ઠ નેતા હાફિઝ હમદુલ્લાહ આ રેલીને સંબોધિત કરવાના હતા, પરંતુ કોઈ કારણોસર તેઓ અહીં પહોંચી શક્યા ન હતા. બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં હાફિઝે કહ્યું- આ વિસ્ફોટમાં અમારા લગભગ 35 કાર્યકરો માર્યા ગયા છે. હું આ ઘટનાની નિંદા કરું છું. આવા હુમલાઓથી અમારું મનોબળ ઓછું નહીં થાય.

હાફિઝે આગળ કહ્યું- આ પ્રકારના હુમલા ભૂતકાળમાં પણ થતા રહ્યા છે. તેમની ઉંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. અમને કોઈપણ પ્રકારની સુરક્ષા પણ આપવામાં આવતી નથી. અમે આ મુદ્દો સંસદમાં ઉઠાવીશું.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow