ભાજપ આગેવાને વિધવાનું મકાન પચાવી પાડ્યું!

ભાજપ આગેવાને વિધવાનું મકાન પચાવી પાડ્યું!

શહેરમાં પારકી જમીન કે મિલકત પચાવી પાડ્યા બાદ મોટી રકમ પડાવ્યાના અગાઉ અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે ત્યારે વધુ એક બનાવમાં ભાજપના આગેવાને મકાન પચાવી પાડયા બાદ મકાન પરત દેવા મોટી રકમની માંગણી કર્યાનો વિધવાએ વલોપાત કર્યો છે. એટલું જ નહીં, રાજકીય આગેવાન તેની વગને કારણે તંત્રે પણ મૌન સેવી લીધું હોય તેવો ઘાટ સર્જાયો છે. સહકાર મેઇન રોડ, પીપળિયા હોલ પાસે રહેતા જયાબેન બિપીનભાઇ હાપલિયા નામના વિધવાના જણાવ્યા મુજબ, કોરોનામાં પતિ બિપીનનું મૃત્યુ થયું હતું.

પોતે નિ:સંતાન હોય મરણમૂડી સમાન જમીન વહેચીને મોરબી રોડ પર આવેલા શિવધારા રેસિડેન્સી-2માં 100વારમાં બનાવેલું મકાન ખરીદ કર્યું હતું. આ સમયે ભાજપના આગેવાન તેમજ ખોડલધામના પૂર્વ કન્વિનર પરેશ ખોડા લીંબાસિયાને સબંધના નાતે ત્રણ વર્ષ પૂર્વે મકાન રહેવા માટે આપ્યું હતું. બે વર્ષ બાદ મકાનના દસ્તાવેજ પોતાના નામે થઇ જતા પોતે પરેશ લીંબાસિયા પાસે ગઇ હતી અને મકાન ખાલી કરી પરત આપી દેવાની વાત કરી હતી ત્યારે પરેશ લીંબાસિયાએ થોડા સમય બાદ મકાન ખાલી કરી આપવાનું કહ્યું હતુ.

તેમ છતા લાંબો સમય વિતવા છતા મકાન ખાલી કરી પરત નહીં કરતા પોતે ફરી પરેશ પાસે ગઇ હતી અને મકાન ખાલી કરી આપવાની વાત કરી હતી. ત્યારે પરેશ ઉશ્કેરાઇ ગયો હતો અને મકાન ખાલી નહિ કરૂ, તારે જે કરવું હોય તે કરી લે, પોલીસ, કલેક્ટર અમારા જ છે, અને જો મકાન જોઇતું હોય તો મને 80 લાખથી વધુ રકમ આપ તો મકાન ખાલી કરી આપવાનું કહ્યું હતુ. સમાજના સંગઠનમાં બની બેઠેલા અને પૂર્વ ડે.મેયર અશ્વિન મોલિયાના સાથીદાર પરેશ લીંબાસિયાએ મકાન પચાવી પાડતા પોલીસમાં રજૂઆત કરી હતી. પરંતુ રાજકીય વગ સામે કાયદાના રક્ષકનું ચાલ્યું ન હતુ.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow