બિટકોઇનને ઓળખ અપાવનાર ફિને સહિત 199ના મૃતદેહો નાઇટ્રોજન ટેન્કમાં રખાયા

બિટકોઇનને ઓળખ અપાવનાર ફિને સહિત 199ના મૃતદેહો નાઇટ્રોજન ટેન્કમાં રખાયા

પુનર્જન્મ વિશે તમે કદાચ માત્ર સાંભળ્યું હશે પરંતુ અમેરિકાની એક કંપનીએ તે અંગેની ટેક્નિક વિકસિત કરી હોવાનો દાવો કર્યો છે. વાસ્તવમાં, અમેરિકાના એરિઝોનામાં 199 લોકોના મૃતદેહો માત્ર એ જ આશામાં રખાયા છે કે ટેક્નિક વિકસિત થવા પર તેઓને બીમારીથી છુટકારો મળશે અને તેઓ ફરીથી જીવિત થશે.

પુનર્જન્મની આશામાં આ લોકોના મૃતદેહોને નાઇટ્રોજનથી ભરેલી ટેન્કમાં રાખવામાં આવ્યા છે. તેનું સંચાલન કરતી સંસ્થા એલ્કોર લાઇફ એક્સટેન્શન ફાઉન્ડેશન આ લોકોને દર્દી કહે છે. જેમનું મૃત્યુ કેન્સર, લકવા, એમિયોટ્રોફિક લેટરલ સ્લેરોસિસ (ALS) અથવા કોઇ અન્ય બીમારીને કારણે થયું છે. આ રીતથી સુરક્ષિત રખાયેલા મૃતદેહોને ક્રાયોપ્રિઝર્વ્ડ કહેવાય છે. આ દર્દીઓમાં સૌથી ઓછી ઉંમરની છે માથેરિન નાઓવારાતપોંગ. 2 વર્ષીય થાઇ બાળકીનું બ્રેન કેન્સરને કારણે 2015માં મોત થયું હતું. એલ્કોરના CEO મેક્સ મૂર જણાવે છે કે તેમનાં માતા-પિતા ડોક્ટર હતાં.

મગજની અનેક સર્જરી બાદ પણ બધું જ વ્યર્થ હતું તો તેઓએ સંપર્ક કર્યો. બિટકોઇનને ઓળખ અપાવનારા હલ ફિને પણ એલ્કોરના દર્દી છે. 2014માં લકવાથી મોત થયા બાદ તેમના મૃતદેહની અહીં જાળવણી થાય છે. કાયોપ્રિઝર્વેશનની પ્રક્રિયા ખૂબ જ અલગ છે. કોઇ માણસના કાનૂની રીતે મૃત્યુની જાહેરાત બાદ દર્દીના શરીરમાંથી રક્ત અને અન્ય પ્રવાહીનો નિકાલ કરાય છે. તેની જગ્યાએ ખાસ રસાયણ ભરાય છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow