બિપરજોય ગુરુવારે જખૌમાં ત્રાટકશે!

બિપરજોય ગુરુવારે જખૌમાં ત્રાટકશે!

અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજૉય વાવાઝોડાએ ધીમે ધીમે રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. આગામી 15મી જૂનના બપોરે આ વાવાઝોડું કચ્છના જખૌ પોસ્ટ પર ટકરાય તેવી સંભાવના છે, જેના પગલે સંપૂર્ણ પોર્ટ ખાલી કરાવી દેવામાં આવ્યું છે. સોમવારે પોરબંદરમાં 9 નંબરનું અને માંડવીમાં 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું હતું. દરમિયાન નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહત અને બચાવ કાર્યની સમીક્ષા કરી 24 કલાક કન્ટ્રોલ રૂમ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. સૌરાષ્ટ્ર-કચ્છમાંથી સોમવાર સુધીમાં 15 હજારથી વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા.

આગામી 15મી જૂનના બપોરે આ વાવાઝોડું કચ્છના જખૌ પોસ્ટ પર ટકરાય તેવી સંભાવના
સૂત્રાપાડામાં દરિયાનાં પાણી અંદર ઘૂસી આવ્યાં હતાં તો સોરઠ પંથકના ગડુ અને માળિયામાં તો ચક્રવાતની આડઅસર રૂપે 8 ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. જૂનાગઢ અને ગીર-સોમનાથ પંથકમાં સર્વત્ર 1થી 8 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. જેમાં ઊના અને કોડીનાર પંથકમાં 2 ઇંચ, જૂનાગઢ શહેરમાં 4 ઇંચ અને માળીયા પંથકમાં તો 8 ઈંચ સુધી પાણી વરસી ગયું હતું. બિપરજૉય વાવાઝોડું વધુ નજીક આવતાં સમુદ્રમાં મોજાં 10થી 15 ફૂટ સુધી ઉછળ્યાં હતાં.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow