રાજકોટમાં રાષ્ટ્ર ગૌરવ યાત્રામાં આઝાદીના લડવૈયાના જીવન ચરિત્ર રજૂ થયા, ઠેરઠેર ધ્વજવંદનનું આયોજન

રાજકોટમાં રાષ્ટ્ર ગૌરવ યાત્રામાં આઝાદીના લડવૈયાના જીવન ચરિત્ર રજૂ થયા, ઠેરઠેર ધ્વજવંદનનું આયોજન

શહેરભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત શહેરભરમાં રાષ્ટ્ર ગૌરવ યાત્રા નીકળી હતી. ખોડલધામ મંદિરે તિરંગાનો વિશેષ શણગાર કરાયો હતો. જ્યારે નવયુગલે લગ્ન પરિણયમાં બંધાતા પહેલા ધ્વજવંદન કર્યું હતું. આ ઉપરાંત શહેરમાં દેશભક્તિના અનેક કાર્યક્રમો યોજાયા હતા.

રાષ્ટ્ર ગૌરવ યાત્રા
સાધુ સમાજ અને નિવૃત્ત આર્મીમેને પ્રસ્થાન કરાવ્યું
રાષ્ટ્ર ગૌરવ યાત્રા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. આયોજક કાનાભાઈ કુબાવતે જણાવ્યું હતું કે, યાત્રામાં અંદાજિત 1 હજાર લોકો જોડાયા હતા. તેમજ શિવાજી, ભારત માતા, ભગતસિંહજી, ચંદ્રેશખર આઝાદ સહિત આઝાદીના લડવૈયા તમામના જીવનચરિત્ર રજૂ થયા હતા. સતત 7મા વર્ષે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાનો પ્રારંભ સાધુ સમાજ અને નિવૃત્ત આર્મીમેનના હસ્તે કરાયું હતું.

પ્રજાસત્તાક પર્વની ઉજવણી
ખોડલધામ અને સરદાર પટેલ ભવનમાં ઉજવણી
ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- રાજકોટ અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ દ્વારા રાજકોટ શહેરમાં આવેલા સરદાર પટેલ ભવન ખાતે પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ખોડલધામ મંદિરમાં બિરાજમાન મા ખોડલને કેસરી, સફેદ અને લીલા ફૂલોમાંથી બનેલો હાર અર્પણ કરવામાં આવ્યો હતો. સાથે જ મા ખોડલની મૂર્તિ પાસે થતાં ફૂલોના શણગારમાં ફૂલોથી તિરંગો બનાવવામાં આવ્યો હતો.

રાષ્ટ્રભક્તિ
નવયુગલોએ લગ્ન પહેલા ધ્વજવંદન કર્યું
રાજકોટમાં આનંદનગર નજીક આવેલા કોર્પોરેશન સંચાલિત હોલમાં લખન રાવલ અને રિદ્ધિ જોશીના લગ્ન 26 જાન્યુઆરીના રોજ નિર્ધારિત કરવામાં આવ્યા હતા. નવયુગલે લગ્ન પહેલા ધ્વજવંદન કર્યું હતું. લખન રાવલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય પર્વની અનોખી ઉજવણીમાં વર- કન્યા પક્ષના તમામ મહેમાનો જોડાયા હતા. રાષ્ટ્રીય પર્વની ઉજવણી યાદગાર બની રહે તે હેતુથી આ પ્રકારનું આયોજન કર્યુ હતું.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow