રાજકોટમાં ભગવતીપરા પુલ પાસે બાઇક-સાઇકલ વચ્ચે અકસ્માત, વૃદ્ધનું મોત

રાજકોટમાં ભગવતીપરા પુલ પાસે બાઇક-સાઇકલ વચ્ચે અકસ્માત, વૃદ્ધનું મોત

શહેરના ભગવતીપરા જૂના પુલ પાસે મંગળવારે સવારે અકસ્માતના બનાવમાં માનવ જિંદગીનો ભોગ લેવાયો છે. જેમાં રોડ પરથી પસાર થઇ રહેલા બાઇક અને સાઇકલ વચ્ચે અકસ્માત સર્જાતા વૃદ્ધ અને યુવાન ચાલકને ઇજા થતા બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા સાઇકલસવાર વૃદ્ધનું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી. પોલીસ તપાસમાં અકસ્માતમાં મોતને ભેટેલા સાઇકલચાલક વૃદ્ધ ખોડિયારપરામાં રહેતા છોટુભાઇ બચુભાઇ પરમાર હોવાનું અને ઇજાગ્રસ્ત બાઇકચાલક 80 ફૂટ રોડ, કિંજલ પાર્કમાં રહેતો જયસુખ જેઠાભાઇ કથીરિયા હોવાનું જાણવા મળ્યું છે.

મૃતકના પરિવારને જાણ કરતા તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પરિવારના જણાવ્યા મુજબ, 75 વર્ષીય છોટુભાઇ આઠ ભાઇઓમાં ત્રીજા હતા અને અપરિણીત હતા. તેઓ મોરબી રોડ વોર્ડ ઓફિસમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow