રાજકોટમાં ભગવતીપરા પુલ પાસે બાઇક-સાઇકલ વચ્ચે અકસ્માત, વૃદ્ધનું મોત

રાજકોટમાં ભગવતીપરા પુલ પાસે બાઇક-સાઇકલ વચ્ચે અકસ્માત, વૃદ્ધનું મોત

શહેરના ભગવતીપરા જૂના પુલ પાસે મંગળવારે સવારે અકસ્માતના બનાવમાં માનવ જિંદગીનો ભોગ લેવાયો છે. જેમાં રોડ પરથી પસાર થઇ રહેલા બાઇક અને સાઇકલ વચ્ચે અકસ્માત સર્જાતા વૃદ્ધ અને યુવાન ચાલકને ઇજા થતા બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા સાઇકલસવાર વૃદ્ધનું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી. પોલીસ તપાસમાં અકસ્માતમાં મોતને ભેટેલા સાઇકલચાલક વૃદ્ધ ખોડિયારપરામાં રહેતા છોટુભાઇ બચુભાઇ પરમાર હોવાનું અને ઇજાગ્રસ્ત બાઇકચાલક 80 ફૂટ રોડ, કિંજલ પાર્કમાં રહેતો જયસુખ જેઠાભાઇ કથીરિયા હોવાનું જાણવા મળ્યું છે.

મૃતકના પરિવારને જાણ કરતા તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પરિવારના જણાવ્યા મુજબ, 75 વર્ષીય છોટુભાઇ આઠ ભાઇઓમાં ત્રીજા હતા અને અપરિણીત હતા. તેઓ મોરબી રોડ વોર્ડ ઓફિસમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.

Read more

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થી કાર્યકરોએ Ph.D. પ્રવેશ પરીક્ષાની જાહેરાત 15 દિવસમાં નહીં થાય તો RSSના કાર્યક્રમના વિરોધની ચીમકી આપી

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થી કાર્યકરોએ Ph.D. પ્રવેશ પરીક્ષાની જાહેરાત 15 દિવસમાં નહીં થાય તો RSSના કાર્યક્રમના વિરોધની ચીમકી આપી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે NSUIના કાર્યકર્તાઓએ જોરદાર હલ્લાબોલ કર્યો હતો. 'GCAS એટલે કંકાસ'ના સૂત્રો સાથે યુનિવર્સિટી કેમ્પસમા

By Gujaratnow
રાજકોટ 5 મહિના બાદ સૌરાષ્ટ્ર ઝોનના FRC ચેરમેનની નિમણૂંક

રાજકોટ 5 મહિના બાદ સૌરાષ્ટ્ર ઝોનના FRC ચેરમેનની નિમણૂંક

રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતી (FRC)ના ચેરમેનની છેલ્લા 5 માસથી ખાલી પડેલી જગ્યા પર રાજ્ય સરકાર દ્વારા આખરે ચેરમેનની નિમણુ

By Gujaratnow