બીસીસીઆઈમાં નિર્ણય

બીસીસીઆઈમાં નિર્ણય

ભારતની 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમના હીરો રોજર બિન્નીનું સૌરવ ગાંગુલીની જગ્યાએ ભારતીય ક્રિકેટ બોર્ડ(બીસીસીઆઈ)ના અધ્યક્ષ બનવાનું નક્કી છે. ગાંગુલી 3 વર્ષથી બીસીસીઆઈના અધ્યક્ષ છે. 18 ઓક્ટોબરે બોર્ડની વાર્ષિક સામાન્ય સભા(એજીએમ)માં બિન્ની પદ સંભાળશે. એક અઠવાડિયાથી ચાલતી ગરમાગરમી બાદ આ નિર્ણય લેવાયો કે બેંગલુરુના રહેવાસી બિન્ની(67) બોર્ડના 36મા અધ્યક્ષ બનશે જ્યારે જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બીસીઆઈના સચિવ બનશે. સાથે જ તે આઈસીસી બોર્ડમાં ગાંગુલીની જગ્યા પણ લેશે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના ભાઈ અરુણ ધૂમલ બૃજેશ પટેલની જગ્યાએ આઈપીએલના ચેરમેન હશે. બીસીસીઆઈ પદાધિકારીઓમાં સામેલ એકમાત્ર કોંગ્રેસી નેતા રાજીવ શુક્લા બોર્ડના ઉપાધ્યક્ષ બન્યા રહેશે. મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય આશિષ શેલાર બોર્ડના નવા ખજાનચી હશે. જેના માટે તેમને મુંબઈ ક્રિકેટ સંઘનું અધ્યક્ષ પદ છોડવું પડશે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના સૌથી નજીકના દેવજિત સૈકિયા સંયુક્ત સચિવ હશે. જે જયેશ જોર્જની જગ્યા લેશે. દરેકે ઉમેદવારી નોંધાવી છે. કોઈ પણ પદ માટે ચૂંટણી થશે નહીં કારણ કે દરેક નામ સર્વસંમતિથી નક્કી કરાયા છે અને તે પ્રમાણે જ નોમિનેશન દાખલ કરાશે.

પુત્ર દાવેદાર બનતા બિન્નીએ પસંદગી સમિતિ છોડી હતી

મીડિયમ પેસ બોલર બિન્નીએ 1983ના વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે આઠ મેચોમાં 18 વિકેટ લીધી જે ટૂર્નામેન્ટનો રેકોર્ડ હતો. જ્યારે તેમનો પુત્ર સ્ટુઅર્ટ ભારતીય ટીમમાં પસંદગીનો દાવેદાર બન્યો ત્યારે તેમણે પસંદગી સમિતિને છોડી દીધી હતી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow