પાકિસ્તાની હિન્દૂઓ માટે મોદી સરકારનો મોટો નિર્ણય, ગંગામાં સ્વજનોના અસ્થિ પધરાવવાની આપી છૂટ

પાકિસ્તાની હિન્દૂઓ માટે મોદી સરકારનો મોટો નિર્ણય, ગંગામાં સ્વજનોના અસ્થિ પધરાવવાની આપી છૂટ

પાકિસ્તાની હિન્દુઓની એક ઇચ્છા પૂરી કરવામાં નરેન્દ્ર મોગી સરકાર મોટી મદદ કરવા જઇ રહી છે. પાકિસ્તાનનાં અનેક હિન્દુઓની ઇચ્છા હોય છે કે મર્યા બાદ તેમની અસ્થિઓને પવિત્ર ગંગામાં વિસર્જિત કરવામાં આવે પરંતુ પાકિસ્તાનથી ભારત આવવું સરળ નથી. તેવામાં મોદી સરકારે આ દિશામાં એક મોટું પગલું ભર્યું છે જેના કારણે પાકિસ્તાની હિન્દૂઓ પણ પોતાના નજીકી લોકોની અસ્થિઓનું વિસર્જન ઉત્તરાખંડનાં હરિદ્વારમાં કરી શકશે. વીઝાની મદદથી લોકો પોતાના પરિવારનાં સદસ્યોની અસ્થિઓને હરિદ્વાર લાવીને પવિત્ર ગંગામાં વિસર્જિત કરી શકશે.

સ્પૉન્સરશિપ પૉલિસીમાં સુધારો
કેન્દ્ર સરકારની સ્પૉન્સરશિપ પૉલિસીમાં સુધારા બાદ એવું પહેલીવાર બનશે જ્યારે 426 પાકિસ્તાની હિન્દૂઓની અસ્થિઓને તેમના પરિવારનાં લોકો દ્વારા હરિદ્વારમાં ગંગા નદીમાં વિસર્જિત કરવામાં આવશે. વર્તમાનમાં આ અસ્થિઓ કરાંચીનાં કેટલાક મંદિરો અને સ્મશાન ઘાટો અને અન્ય સ્થળો પર રાખવામાં આવેલ છે.

પાકિસ્તાની હિન્દૂઓને 10 દિવસનો વીઝા!
અત્યાર સુધી જો કોઇ પાકિસ્તાની હિન્દૂ શ્રદ્ધાળુને ભારત આવવું હોય છે તો તેમને વગર અનુમતિ આવવા મળતું નથી. પરંતુ હવે મોદી સરકાર એ તમામ હિન્દૂ પરિવારોને 10 દિવસોનો ભારતીય વીઝા આપશે જેના થકી તેઓ પોતાના પરિવારનાં સદસ્યોની અસ્થિઓને ગંગા નદીમાં વિસર્જિત કરી શકે. વર્ષ 2011થી 2016 સુધી 295 પાકિસ્તાની હિન્દૂઓની અસ્થિ વાઘા બોર્ડર પર મોકલવામાં આવી હતી. પરંતુ આ પહેલીવાર થશે કે જ્યારે પરિવારનાં સદસ્યો પોતે અસ્થિ લઇને હરિદ્વાર આવી શકે.

શું છે ભારત સરકારનાં નિયમો?
ભારત સરકારની પોલિસી અનુસાર મૃતક પાકિસ્તાની હિન્દૂ પરિવારનાં કોઇ સદસ્યને ભારત આવવા માટે ત્યારે જ વીઝા આપવામાં આવશે જ્યારે તેમનાં ભારતમાં રહેવાવાળાં કોઇ સંબંધી તેમને સ્પોન્સર કરે. તેવામાં એવા ઘણાં ઓછા પાકિસ્તાની હિન્દૂઓ છે કે જેમના નજીકી લોકો ભારતમાં રહેતાં હોય.

કરાચીમાં હનુમાન મંદિરમાં રાખી છે અસ્થિઓ
કરાચીનાં સોલ્જર બજારમાં સ્થિત શ્રી પંચમુખી હનુમાન મંદિરનાં સદસ્ય રામનાથએ જણાવ્યું કે કોઇક કારણોસર હજારો લોકોની અસ્થિઓ મંદિરોમાં રાખવામાં આવી છે. તેમના પરિવારોને આશા હતી કે એક દિવસ જરૂરથી આ અસ્થિઓ ગંગા નદીમાં વિસર્જિત કરવામાં આવશે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow