9 વર્ષે ભાણાને થઈ ઉંમરકેદ, મામી જ નહીં પાલતુ કૂતરાને પણ મોતને ઘાટ ઉતારી દેવાયો હતો

9 વર્ષે ભાણાને થઈ ઉંમરકેદ, મામી જ નહીં પાલતુ કૂતરાને પણ મોતને ઘાટ ઉતારી દેવાયો હતો

તાજનગરી આગ્રામાં પત્રકારની પત્નીની હત્યાના કેસમાં પરિવારને 9 વર્ષ બાદ ન્યાય મળ્યો છે. આ કેસમાં જિલ્લા અદાલતે મૃતકના ભત્રીજા સહિત બે દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ 2014માં આગ્રાના ન્યૂ આગ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પત્રકાર વિજય શર્માની પત્નીની હત્યા કરવામાં આવી હતી. તેની પત્ની સાથે તેના પાલતુ કૂતરાની પણ હત્યા કરવામાં આવી હતી.

કોર્ટે ચુકાદો આપ્યો

આ કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો અને 9 વર્ષ બાદ રોની અને આશુતોષને દોષિત ઠેરવી આજીવન કેદની સજા સંભળાવી. 9 વર્ષ પછી આવેલા નિર્ણયમાં પાલતુ પોપટની ભૂમિકા ખૂબ મહત્વની હતી. ઘટના બાદથી પોલીસ ગુનેગારોને શોધી રહી હતી, પરંતુ કોઈ સુરાગ મળી શકી ન હતી. પરંતુ પાલતુ પોપટ મીઠુ વારંવાર મૃતકના ભત્રીજાનું નામ લેતો હતો. જે બાદ પોલીસે તેને કસ્ટડીમાં લીધા બાદ પૂછપરછ કરતાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. સ્પેશિયલ જજ મોહમ્મદ રશીદે મહિલાની હત્યાના કેસમાં દોષિત આશુતોષ ગોસ્વામી અને રોનીને આજીવન કેદની સજા સંભળાવી. આ સાથે 72 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

પોપટે ઘણા રહસ્યો ખોલ્યા

નીલમની 9 વર્ષ પહેલા ન્યુ આગ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી. હત્યા કર્યા બાદ હત્યારાઓએ ઘરમાં પણ લૂંટ ચલાવી હતી. પોલીસે તપાસ શરૂ કરી ત્યારે હત્યારાઓને શોધવામાં પોલીસને ઘણો સમય લાગી રહ્યો હતો. હત્યા બાદથી મૃતકના ઘરે ઉછરી રહેલો મીઠુ રાજા (પોપટ) સતત મહિલાના ભત્રીજા આશુતોષ ગોસ્વામી ઉર્ફે આશુનું નામ લેતો હતો. આ પછી પોલીસે મૃતકના ભત્રીજાની અટકાયત કરી અને તેની પૂછપરછ કરી. પૂછપરછ દરમિયાન ભત્રીજાએ તેના સાથીદારો સાથે મળીને હત્યા કર્યાની કબૂલાત કરી હતી.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow