ભગવંત માન ગુજરાતમાં અને તેમના ઘરની બહાર લાઠીચાર્જ

ભગવંત માન ગુજરાતમાં અને તેમના ઘરની બહાર લાઠીચાર્જ

બુધવારે પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનના સંગરુર સ્થિત નિવાસસ્થાન સામે પ્રદર્શન કરી રહેલા મજૂરો પર પોલીસે લાઠીચાર્જ કર્યો. પોતાની માંગણીને લઈ ભારતીય ખેત મજદૂર યુનિયનની આગેવાનીમાં પ્રદર્શન કરવા પહોંચેલા લોકોને દોડાવી દોડાવીને માર્યા હતા. જેમાં કેટલાક મજૂરો ઘાયલ થતાં તેમને સારવાર અર્થે સંગરુર હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ બુધવારે સવારે પંજાબભરના વિવિધ ટ્રેડ યુનિયનના સભ્યો સંગરુરના બાયપાસ પર એકઠા થયા હતા. અહીંથી તેમણે ભારતીય ખેત મજદૂર યુનિયનના બેનર હેઠળ સીએમ ભગવંત માનના નિવાસસ્થાન તરફ આગળ વધ્યા. સંગઠનોએ આ પ્રદર્શન માટે અગાઉથી એલાન આપ્યું હતું, જેથી પોલીસ પ્રશાસને સવારથી જ મુખ્યમંત્રીના નિવાસસ્થાન તરફના માર્ગ પર ભારે બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

પંજાબ સરકાર અને મુખ્યમંત્રી ભગવંત માન વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરતા આગળ વધી રહેલા મજૂરોને પોલીસે સીએમ નિવાસસ્થાનેથી એક કિલોમીટર પહેલા બેરિકેડિંગ કરીને રોકી દીધા હતા.મજૂરોએ જ્યારે બેરિકેડિંગ કૂદીને આગળ વધવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. ત્યાર પછી પંજાપ પોલીસે પ્રદર્શન કરી રહેલા મજૂરો પર લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનામાં કેટલાક ખેડૂતો અને મજૂરો ઘાયલ થયા હતા.

બીજી તરફ આ લાઠીચાર્જ બાદ વેપારી સંગઠનોના સભ્યો કોલોનીના ગેટની સામે ધરણા પર બેસી ગયા હતા જ્યાં મુખ્યમંત્રી ભગવંત માનનું ઘર આવેલું છે. તેઓએ કોલોનીની અંદર જવાનો રસ્તો બંધ કરી દીધો. મજદૂર સંગઠનના સભ્યોએ કહ્યું કે પંજાબ પોલીસની દાદાગીરી સહન કરવામાં નહીં આવે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow