ભારત વૈશ્વિક સ્તરે નિકાસ હિસ્સાને 10 ટકા સુધી પહોંચાડવા સક્ષમ

ભારત વૈશ્વિક સ્તરે નિકાસ હિસ્સાને 10 ટકા સુધી પહોંચાડવા સક્ષમ

ગ્લોબલ વેલ્યૂ ચેઇનમાં ભારત આગેકૂચ કરે તે માટે સક્ષમ છે તેમજ વૈશ્વિક નિકાસમાં પણ હિસ્સો વધારે તે માટે પૂરી ક્ષમતા ધરાવે છે તેવું વાણિજ્ય સચિવ સુનિત ભરતવાલે જણાવ્યું હતું. વૈશ્વિક નિકાસમાં ભારતનો હિસ્સો 2 ટકાથી ઓછો છે.

તેથી વૈશ્વિક પડકારો તેમજ ઓછા ટ્રેડ ગ્રોથના અંદાજ વચ્ચે પણ દેશની નિકાસને વેગ આપી શકાય તે માટેનો પૂરતો અવકાશ છે. CII નેશનલ એક્સપોર્ટ સમિટને સંબોધતા વાણિજ્ય સચિવે ઉમેર્યું હતું કે આપણે નિકાસને બમણી કરવા માટે લક્ષ્યાંક રાખી શકીએ અને વૈશ્વિક સ્તરે નિકાસના હિસ્સાના 10 ટકા સુધી પહોંચાડવા માટે પ્રયાસરત થવું જોઇએ અને જો કોઇ કહે કે વૈશ્વિક ચિત્ર ધૂંધળું છે તો પણ નિકાસને વધારવા માટેની પૂરતી તકો ઉપલબ્ધ છે. વૈશ્વિક અનિશ્વિતતાના માહોલથી સ્થાનિક નિકાસકારોએ નિરાશ થવાની જરૂર નથી.

વૈશ્વિક વેલ્યુ ચેઇન સિસ્ટમમાં આગળ વધવા માટે દેશ પાસે પૂરતો અવકાશ છે અને વૈશ્વિક નિકાસમાં યોગદાનને વધારવા માટે પણ સમર્થ છે. વર્ષ 2023માં વૈશ્વિક અનિશ્વિતતાને કારણે વૈશ્વિક વ્યાપાર ઘટીને 1 ટકાની આસપાસ પહોંચી શકે છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને પણ વૈશ્વિક વ્યાપારમાં 3.5 ટકાના વૃદ્વિદરનો અંદાજ વ્યક્ત કર્યો છે. સંસ્થાએ અગાઉ એપ્રિલમાં 3 ટકાના વૃદ્વિદરનું અનુમાન વ્યક્ત કર્યું હતું.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow