ભારત પાકિસ્તાની વિમાન માટે એરસ્પેસ ખોલવા તૈયાર
ભારતે વાવાઝોડા દિત્વાહથી પ્રભાવિત શ્રીલંકા માટે રાહત સામગ્રી લઈ જઈ રહેલી પાકિસ્તાનની ઓવરફ્લાઈટને તેના એરસ્પેસમાંથી પસાર થવાની મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી માત્ર 4 કલાકની અંદર આપવામાં આવી હતી.
ઓવરફ્લાઈટ એટલે, જ્યારે કોઈ વિદેશી વિમાન કોઈ દેશની સરહદ ઉપરથી પસાર થાય છે, પરંતુ ત્યાં લેન્ડ કરતું નથી, ત્યારે તેને ઓવરફ્લાઈટ કહેવાય છે.
સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને સોમવારે બપોરે લગભગ 1 વાગ્યે ભારતીય એરસ્પેસ ઉપરથી ઉડાન ભરવા માટે વિનંતી કરી હતી.
પાકિસ્તાને 1 ડિસેમ્બરે જ ઓવરફ્લાઈટની પરવાનગી માંગી હતી. તેનો હેતુ શ્રીલંકાને માનવીય મદદ આપવાનો જણાવવામાં આવ્યો હતો. આને ધ્યાનમાં રાખીને ભારતે ખૂબ જ ઝડપથી વિનંતી પર પ્રક્રિયા કરી.
આ દરમિયાન સોમવારે સાંજે 5.30 વાગ્યે સત્તાવાર ચેનલો દ્વારા પાકિસ્તાની વિમાનને ભારતીય હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવાની પરવાનગી આપવામાં આવી. આની જાણકારી પાકિસ્તાન સરકારને આપી દેવામાં આવી.
નોંધનીય છે કે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. આના કારણે પહેલા પાકિસ્તાને, પછી ભારતે એકબીજાના વિમાનો માટે પોતાનો એરસ્પેસ બંધ કરી દીધી હતી.