ભારત-પાકિસ્તાન મેચમાં ફેન્સ માટે ચિંતા નાં વાદળ

ભારત-પાકિસ્તાન મેચમાં ફેન્સ માટે ચિંતા નાં વાદળ

ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપની શરૂઆત થઇ ગઇ છે. જોકે, દુનિયાભરના ફેન્સને 23 ઓક્ટોબરની રાહ છે. આ દિવસે ટૂર્નામેન્ટનો સૌથી સુપરહિટ મુકાબલો થવાનો છે. એટલે ભારત Vs પાકિસ્તાનનો મહામુકાબલો. આ મેચની ટિકિટનું બુકિંગ શરૂ થવાના 10 મિનિટમાં જ ટિકિટ સોલ્ડ આઉટ થઇ ગઇ હતી. અંદાજ છે કે 8 લાખ જેટલા લોકો આ મેચ નિહાળવા માટે આવી શકે છે. ભારત અને પાકિસ્તાનથી કોઈ ફેન્સ ખાસ કરીને આ મેચ જોવા ઓસ્ટ્રેલિયા જઇ રહ્યા છે, પરંતુ ફેન્સ સહિત ICCની તમામ આશાઓ પર વરસાદ પાણી ફેરવી શકે છે.

1992થી લઇને અત્યાર સુધીમાં વન ડે અને ટી-20 વર્લ્ડ કપ મળીને ભારત અને પાકિસ્તાન વચ્ચે 13 મુકાબલા રમાઇ ચૂક્યા છે, પરંતુ હજુ સુધી એક પણ મેચ વરસાદના કારણે રદ્દ નથી થઇ.

23 ઓક્ટોબરે મેલબોર્નમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરાઈ છે. એવું થાય છે તો વનડ અને ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આ પહેલો મુકાબલો હશે જ્યારે ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ મુશ્કેલી સર્જી શકે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow