ભારત-પાકિસ્તાન મેચમાં ફેન્સ માટે ચિંતા નાં વાદળ

ભારત-પાકિસ્તાન મેચમાં ફેન્સ માટે ચિંતા નાં વાદળ

ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપની શરૂઆત થઇ ગઇ છે. જોકે, દુનિયાભરના ફેન્સને 23 ઓક્ટોબરની રાહ છે. આ દિવસે ટૂર્નામેન્ટનો સૌથી સુપરહિટ મુકાબલો થવાનો છે. એટલે ભારત Vs પાકિસ્તાનનો મહામુકાબલો. આ મેચની ટિકિટનું બુકિંગ શરૂ થવાના 10 મિનિટમાં જ ટિકિટ સોલ્ડ આઉટ થઇ ગઇ હતી. અંદાજ છે કે 8 લાખ જેટલા લોકો આ મેચ નિહાળવા માટે આવી શકે છે. ભારત અને પાકિસ્તાનથી કોઈ ફેન્સ ખાસ કરીને આ મેચ જોવા ઓસ્ટ્રેલિયા જઇ રહ્યા છે, પરંતુ ફેન્સ સહિત ICCની તમામ આશાઓ પર વરસાદ પાણી ફેરવી શકે છે.

1992થી લઇને અત્યાર સુધીમાં વન ડે અને ટી-20 વર્લ્ડ કપ મળીને ભારત અને પાકિસ્તાન વચ્ચે 13 મુકાબલા રમાઇ ચૂક્યા છે, પરંતુ હજુ સુધી એક પણ મેચ વરસાદના કારણે રદ્દ નથી થઇ.

23 ઓક્ટોબરે મેલબોર્નમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરાઈ છે. એવું થાય છે તો વનડ અને ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આ પહેલો મુકાબલો હશે જ્યારે ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ મુશ્કેલી સર્જી શકે છે.

Read more

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ભાર્ગવ ગોવિંદભાઈ રાઠોડ (ઉં.વ.21) આજે સવારે 10 વાગ્યા આસપાસ વાહન લઈને જતો હતો ત્યારે સરધાર ગામ પાસે અજાણ્યા ફોરવ્હીલ ચાલકે હડફેટે લેતા મા

By Gujaratnow
રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટના શીતલપાર્ક નજીક ધ સ્પાયર-2 બિલ્ડિંગમાં ઓફિસમાં મહિલાને માર મારતા જૂન, 2025ના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મહિલાએ ધંધામાં ધ્યાન આપવાનું કહે

By Gujaratnow
'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

તાજેતરમાં આદિત્ય ધર નિર્દેશિત રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 'ધુરંધર'માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઈને જૂનાગઢમાં વસતા બલો

By Gujaratnow