ભારત અને પાકિસ્તાનના ગ્રુપમાં નેધરલેન્ડ

ભારત અને પાકિસ્તાનના ગ્રુપમાં નેધરલેન્ડ

ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં ક્વોલિફાઈંગ ગ્રુપ-એની મેચ હવે પૂરી થઈ ગઈ છે. ગુરુવારે આ ગ્રુપમાં શ્રીલંકાએ નેધરલેન્ડને 7 રનથી અને UAEએ નામ્બિયાને હરાવ્યું હતું. આ રીતે શ્રીલંકાની ટીમ 3 મેચમાં 4 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. નેધરલેન્ડ ભલે શ્રીલંકા સામે હારી ગયું હોય, પરંતુ પ્રથમ બે મેચમાં જીતને કારણે તેના પણ 3 મેચમાંથી 4 પોઈન્ટ છે. સારા નેટ રન રેટના આધારે શ્રીલંકા પ્રથમ અને નેધરલેન્ડ બીજા ક્રમે છે.

141 રન જ બનાવી શકી નામ્બિયા

UAEએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં પહેલા બેટિંગ કરતા UAEએ 3 વિકેટે 148 રન કર્યા હતા. તો શ્રીલંકા જેવી ટીમને હરાવીને ટૂર્નામેન્ટની શરૂઆત કરનાર નામ્બિયાની ટીમ 8 ઓવરમાં 141 રન જ બનાવી શકી હતી અને 7 રન હારી ગઈ હતી.

ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડના ગ્રુપમાં શ્રીલંકાની ટીમને સ્થાન મળ્યું

શ્રીલંકાએ ક્વોલિફાઈંગ ગ્રુપ-એમાં પ્રથમ સ્થાન મેળવીને સુપર-12માં ગ્રુપ 1 માટે ક્વોલિફાય કર્યું હતું. આ સાથે જ નેધરલેન્ડે ગ્રુપ 2માં જગ્યા બનાવી લીધી છે. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ પહેલેથી જ સુપર-12 ગ્રુપ 1માં હાજર છે. હવે તેમાં શ્રીલંકા પણ જોડાઈ ગયું છે.

સુપર-12 ગ્રુપ 2માં નેધરલેન્ડ ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ પછી પાંચમી ટીમ બની ગઈ છે. શુક્રવારના રોજ ક્વોલિફાઇંગ ગ્રુપ બીની મેચ પૂરી થયા પછી બન્ને ગ્રુપમાં છઠ્ઠી ટીમની ખબર પડશે.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow