Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
crime

રાજકોટમાં બે સોની વેપારીનું રૂ.33.58 લાખનું સોનુ લઈ બંગાળી કારીગર ફરાર

Gujaratnow1 min read
રાજકોટમાં બે સોની વેપારીનું રૂ.33.58 લાખનું સોનુ લઈ બંગાળી કારીગર ફરાર

રાજકોટ શહેરની સોની બજારમાં થોડા સમય પહેલા રાત્રિના સમયે નાઇટ શિફ્ટમાં કામ કરતા સમયે વેપારીને નીંદર આવી જતા 27 લાખનું સોનુ લઈ એક બંગાળી કારીગર ફરાર થઈ ગયો હોવાની ઘટના બની હતી જે અંગે હજુ સુધી આરોપીની ધરપકડ થવા પામી નથી ત્યારે વધુ એક કારીગર બે સોની વેપારીના 33.58 લાખના દાગીના લઇ ફરાર થઇ જતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

રાજકોટ શહેરના મોરબી રોડ પર રાજ સ્કૂલની પાછળ શિવધારા સોસાયટી શેરી નં.6માં રહેતા હિતેષભાઈ મનસુખભાઈ મેંદપરા નામના વેપારીએ હાથીખાના મેઈન રોડ સિલ્વર માર્કેટ દુકાન નં.201માં સોનાના તેમજ ચાંદીના દાગીના બનાવી આપતા રામનાથપરાના મૂળ બંગાળના એજાજુલહક શેખ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.

હિતેષભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ હાથીખાના મેઈન રોડ પર એનેક્ષી સિલ્વર માર્કેટમાં આસી ગોલ્ડ નામની દુકાન ધરાવી સોના તેમજ ચાંદીના દાગીના બનાવીને આપીએ છીએ. અમને ત્રણ વર્ષ પહેલા આરોપી એજાજુલહક સાથે મુલાકાત થઈ હતી. ત્યારબાદ પરિચયમાં આવ્યા બાદ તેઓને સોનાના અને ચાંદીના ઘરેણા બનાવવા સોનુ અને ચાંદી આપતા હતા.

Gujaratnow1 min read

Related News