કોઈ કામની શરૂઆત કરતા પહેલાં ઘર-પરિવારના લોકોના આશીર્વાદ જરૂર લેવા જોઈએ

કોઈ કામની શરૂઆત કરતા પહેલાં ઘર-પરિવારના લોકોના આશીર્વાદ જરૂર લેવા જોઈએ

કોઈ પણ નાનું કે મોટું કામ કરવાની શરૂઆત કર્યા પહેલાં ઘરપરિવાર અને સમાજના મોટા લોકોના આશીર્વાદ અને સલાહ અચૂક લેવી જોઈએ, આ કરવાથી કામ કરવાની સાહસની સાથે-સાથે સકારાત્મકતા મળે છે. આ વાત આપણે હનુમાનજી પાસેથી શીખી શકીએ છીએ.

આ રામાયણની એક ઘટના છે. સીતાની શોધ કરતી વખતે હનુમાનજી, જામવંત, અંગદ અને અન્ય વાનરો સંપતી પાસે પહોંચ્યા હતાં. સંપતિએ તે બધાને કહ્યું હતું કે દેવી સીતા લંકામાં જ છે.

આ બાદ હનુમાનજી, જામવંત, અંગદ અને તમામ વાનરો દક્ષિણ દિશામાં આવેલા સમુદ્ર કિનારે પહોંચી ગયા હતાં. ત્યાંથી લંકા સુધીનું અંતર લગભગ સો યોજન હતું. આટલો મોટો દરિયો પાર કરીને લંકા પહોંચવું પડ્યું હતું. વાનરોને સમસ્યા એ હતી કે સમુદ્ર પાર કરીને લંકા કોણ જશે?

પહેલા તો જામવંતે કહ્યું કે હું હવે ઘરડો થઈ ગયો છું અને મારા માટે એ શક્ય નથી કે હું સમુદ્ર પાર કરીને લંકા પહોંચીને સીતાની શોધ કરીને પરત ફરી શકું.

અંગદે કહ્યું કે, "હું લંકા જઈ તો શકું છું, પરંતુ મને શંકા છે કે હું પાછો આવીશ.?

તે સમયે હનુમાનજી શાંતિથી બેઠા હતા. જામવંતે હનુમાનજીને પ્રેરણા આપીને કહ્યું કે તમારો જન્મ રામકજ માટે જ થયો છે, તમે ચૂપ કેમ છો? તમે લંકા જાઓ અને દેવી સીતાને શોધ્યા પછી પાછા આવો. જામવંતથી પ્રેરાઈને હનુમાનજીએ લંકા જવાની હા પાડી. તેમણે જામવંતને પૂછ્યું, "મને કહો, મારે લંકામાં શું કરવાનું છે અને શું નહીં?"

જામવંતે હનુમાનજીને કહ્યું કે, દેવી સીતાની શોધ કર્યા પછી જ તમારે પાછા ફરવું જોઈએ. તમારે લંકામાં યુદ્ધ કરવાની કોઈ જરૂર નથી. તમે પાછા આવો અને પછી શ્રીરામ રાવણનો અંત લાવશે. હનુમાનજીએ જામવંતજીની સલાહ ધ્યાનથી સાંભળી હતી. આ પછી તેમણે જામવંતને પ્રણામ કર્યા હતા તેમના આશીર્વાદ લીધા. અન્ય વાનરોને સલામ કર્યા. આ પછી હનુમાનજી લંકા તરફ ગયા.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow