કાર્તિક આર્યન પહેલાં આ એક્ટરને ઑફર કરાઇ હતી 'હેરાફેરી-3', જાણો એવું શું થયું કે ફિલ્મ રિજેક્ટ કરી

કાર્તિક આર્યન પહેલાં આ એક્ટરને ઑફર કરાઇ હતી 'હેરાફેરી-3', જાણો એવું શું થયું કે ફિલ્મ રિજેક્ટ કરી

હેરા ફેરી 3માં હવે અક્ષય કુમારની જગ્યા કોણ લેશે?

થોડા દિવસો પહેલા ફિલ્મ હેરાફેરી ખૂબ ચર્ચામાં હતી. ફિલ્મના ત્રીજા પાર્ટ એટલેકે હેરા ફેરી 3માં કાર્તિક આર્યનને અક્ષય કુમારની જગ્યાએ રિપ્લેસ કર્યો. જેને લઇને અક્ષય કુમારે પોતાની વાત મુકી હતી અને જણાવ્યું હતુ કે કેમ તેમણે રાજુના પાત્ર માટે ના પાડી દીધી હતી. જો કે, હવે સામે આવ્યું છે કે અક્ષય કુમારે ના પાડ્યા બાદ કાર્તિકને ફિલ્મમાં આવતા પહેલા નિર્માતાએ વરૂણ ધવનને રાજૂનો રોલ ઑફર કર્યો હતો. પરંતુ ભેડિયા એક્ટરે ના પાડી દીધી.

વરૂણ ધવનને ઑફર થઇ હતી હેરા ફેરી 3

એક રિપોર્ટ મુજબ આનંદ પંડિત અને ફિરોજ નાડિયાદવાલાએ હેરા ફેરી 3 માટે કાર્તિક આર્યન પહેલા વરૂણ ધવનનો એપ્રોચ કર્યો હતો. બંને ઈચ્છતા હતા કે ફિલ્મમાં અક્ષયનુ પાત્ર રાજુને વરૂણ નિભાવે. પરંતુ વરૂણે તેના માટે ના પાડી દીધી. સૂત્રના હવાલા પરથી રિપોર્ટમાં લખવામાં આવ્યું, વરૂણ, અક્ષય કુમારની દિલથી વધારે રિસ્પેક્ટ કરે છે અને અક્ષય-ફિરોજની સારી ઈક્વેશનનો ફાયદો ઉપાડીને સ્ટારડમની સિડી ચઢવા માંગતો નથી. હેરા ફેરી 3ને અત્યારથી બ્લોકબસ્ટર કહેવાઈ રહી છે. પરંતુ વરૂણ મુજબ માત્ર અક્ષય જ આ પાત્ર નિભાવી શકે છે, તેથી તેમણે ના પાડી દીધી.

ડેવિડને ઑફર થઇ હતી ફિલ્મ

મહત્વનું છે કે રિપોર્ટમાં એવુ પણ જણાવવામાં આવ્યું કે નિર્માતા ઈચ્છતા હતા કે માત્ર વરૂણ, રાજુનુ પાત્ર નિભાવે, પરંતુ ડેવિડ ધવન ફિલ્મને પુત્ર રોહિતની સાથે નિર્દેશિત પણ કરે. પરંતુ ડેવિડ ધવનને એેવુ જ ફીલ થયુ કે તેઓ તેની સાથે ન્યાય નહીં કરી શકે અને એવામાં તેમણે પણ ના પાડી દીધી. ઉલ્લેખનીય છે કે, હવે ફિલ્મ હેરાફેરી 3માં અક્ષય કુમારની જગ્યાએ કાર્તિક આર્યન દેખાશે અને સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની સાથે તે દેખાશે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow