બ્લેન્કેટથી ચહેરો ઢાંકીને સૂતા હોવ તો સાવધાન

બ્લેન્કેટથી ચહેરો ઢાંકીને સૂતા હોવ તો સાવધાન

ડિસેમ્બર મહિનાની ઠંડી શરૂઆત થઈ ચૂકી છે. ધીરે-ધીરે ઠંડી વધશે. લોકો ફક્ત સવારે કે સાંજે જ નહીં, પરંતુ આખો દિવસ ગરમ કપડાં પહેરીને રાખશે. ઘણીવાર તો ઠંડીને કારણે લોકો રાતે સૂતા સમયે પણ સ્વેટર, માથામાં ટોપી અને પગમાં મોજા પહેરીને સૂવે છે, પરંતુ આ સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જો લાંબા સમય સુધી રાતે સ્વેટર પહેરીને સૂઈ જવામાં આવે તો જોખમી સાબિત થઈ શકે છે.

‌પટના સ્થિત PMCH ના ન્યુરોલોજિસ્ટ ડૉ. સંજય કુમાર જણાવે છે, સામાન્ય રીતે સૂવાનો નિયમ છે કે મોં ઢાંકીને સૂવું જોઈએ નહીં. ગમે તેટલી ઠંડી હોય, માથું ઢાંકીને સૂવાથી મગજની કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે. મગજને ઓક્સિજન ઓછો મળે છે.

બ્લડ સર્ક્યુલેશનમાં સમસ્યા થાય છે‌‌

આ પાછળ વૈજ્ઞાનિક કારણ એ છે કે જ્યારે તમે તમારા માથાને ધાબળોથી ઢાંકો છો ત્યારે તમે રૂમમાં રહેલો ફ્રેશ ઓક્સિજન લઈ શકતા નથી. બ્લેન્કેટની અંદર રહેલા ઓક્સિજન જ લેવામાં આવે છે.

શ્વાસની અંદર અને બહાર નીકળવાની પ્રક્રિયા તો ચાલુ રહે છે. આ દરમિયાન બ્લેન્કેટની અંદર ઓક્સિજનની ઊણપ થઈ જાય છે. શ્વાસમાં અશુદ્ધ હવા જ આવે છે, તેથી વ્યક્તિ ઊંઘમાં હોવાથી તેને કોઈ સમસ્યાની ખબર પડતી નથી, પરંતુ હકીકત એ છે કે શરીરનાં બધાં જ અંગમાં બ્લડ સર્ક્યુલેશન બરાબર થતું નથી.

'કાંસક્વેસેજ ઓફ ગેટિંગ ફહ હેડ કવર્ડ ડ્યુરિંગ સ્લીપ ઈન ઇંફેસી' ના એક સંશોધનમાં બીટી સ્કેડબર્ગ અને ટી માર્કસ્ટેડે જણાવ્યું હતું કે માથું ઢાંકીને સૂવાથી ચહેરા પર કાર્બનડાયોક્સાઈડનું પ્રમાણ વધી જાય છે. એને કારણે માનસિક અને વર્તનમાં ફેરફાર જોવા મળે છે. આ માટે સંશોધકોએ 21 મહિનાના અને પાંચ મહિનાનાં બાળકોને અલગ-અલગ કેટેગરીમાં રાખ્યાં હતાં. સંશોધનનો મુખ્ય ઉદ્દેશ સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ વિશે જાણવાનો હતો. જે બાળકોનું માથું ઢંકાયેલું હતું તેમના ચહેરાની પાસે કાર્બનડાયોક્સાઇડનું પ્રમાણ વધી ગયું હતું. 3થી 10 સેકન્ડ સુધી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. આ દરમિયાન હૃદયના ધબકારા વધી ગયા હતા. બાળકો ઝડપથી શ્વાસ લઈ રહ્યાં હતાં, શરીરનું તાપમાન પણ સામાન્ય કરતાં વધારે હતું.

ફેફસાંમાં સમસ્યા થવા લાગે છે‌‌

પલ્મોનોલોજિસ્ટ ડૉ. રાકેશ કુમાર યાદવ જણાવે છે, માથાથી પગ સુધી ઢાંકીને સૂવાથી સૌથી ખરાબ અસર ફેફસાં પર જોવા મળે છે. જો કોઈ વ્યક્તિ એક મહિના સુધી દરરોજ 6થી 8 કલાક આ રીતે ઊંઘે છે, તો તેનાં ફેફસાં સંકોચાવા લાગે છે, એટલે કે ફેફસાંમાં ગેસ એક્સચેન્જનું જે કામ હોય છે એ યોગ્ય રીતે થતું નથી. એને કારણે ગંભીર પરિણામો પણ જોવા મળી શકે છે, જેમ કે અસ્થમાના દર્દી બનવું, સુસ્તીનો અનુભવ થવો, ડિમેંશિયાથી પીડિત રહેવું અને વારંવાર માથાનો દુખાવો થઈ શકે છે. જો વ્યક્તિ પહેલેથી જ અસ્થમાનો દર્દી હોય અથવા શ્વાસ લેવામાં તકલીફ હોય તો માથું ઢાંકીને સૂવું જીવલેણ બની શકે છે.

ઊંઘમાં પણ સમસ્યા થઈ શકે‌‌

તો ડો.રાકેશના જણાવ્યા અનુસાર, માથું ઢાંકીને સૂવાથી ગૂંગળામણ થાય છે. મચ્છરોથી બચવા માટે લોકો સામાન્ય રીતે ઘરમાં અગરબત્તી અથવા પ્રવાહી કોઇલ સળગાવે છે. એનો ધુમાડો આખા રૂમમાં ફેલાઈ જાય છે, પરંતુ ઠંડીના દિવસોમાં વેન્ટિલેશન પણ યોગ્ય હોતું નથી. બારીઓ બંધ રહે છે, તેથી જ રૂમમાં કોઈપણ રીતે શુદ્ધ હવા આવતી નથી. ધાબળા કે રજાઇની અંદર પહેલેથી જ ઓક્સિજનનો અભાવ છે, ઉપરથી રૂમમાં ધુમાડો ફેલાઈ રહ્યો છે. એકંદરે ગૂંગળામણ થવા લાગે છે. આ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે.

સ્કિન એલર્જી થવા લાગે છે‌‌

શુદ્ધ હવાના અભાવે ધૂળના કણો પણ વધી જાય છે. આ બેકટેરિયા ત્વચા પરના બેક્ટેરિયાને અસર કરે છે. ત્વચા પર ફોલ્લીઓ દેખાવા લાગે છે. નિયમિતપણે માથું ઢાંકીને સૂવાથી ત્વચાની એલર્જી થવાની શક્યતા છે.

એપિલેપ્સીના દર્દીઓએ સાવચેત રહેવું જોઈએ

‌‌એઈમ્સમાં ન્યુરોલોજીના પ્રોફેસર અને સ્લીપ ડિસઓર્ડર ફેસિલિટી સેન્ટરના વડા ડૉ. ગરિમા શુક્લાએ તેમના સંશોધનમાં જણાવ્યું છે કે સ્લીપ ડિસઓર્ડર અને એપિલેપ્સી વચ્ચે સંબંધ છે. વાઈના દર્દીઓને ધ્રુજારી આવે છે. જ્યારે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી ત્યારે વાઈના દર્દીઓની સમસ્યા અનેકગણી વધી જાય છે.

મોજા પહેરીને સૂવાની ભૂલ ન કરો

‌‌રાતે પગમાં મોજ આ પહેરવામાં ન આવે તો હેલ્થ માટે પણ બેસ્ટ માનવામાં આવે છે, જો પગમાં ઊનના મોજા પહેરવામાં આવે તો બ્લડ સર્ક્યુલેશન ઓછું થઈ જાય છે. મોજાને કારણે શરીરનું તાપમાન પણ વધી જાય છે, જેના કારણે પગની માંસપેશીઓ ખેંચાવા લાગે છે. 6થી 8 કલાક આ રીતે સૂવાથી સમસ્યા વધે છે. જાગ્યા પછી ઘણા લોકો તેમના પગમાં કળતર અથવા જડતા અનુભવે છે. ઘણી વખત લોકો એ જ મોજાં પહેરીને સૂઈ જાય છે જે તેઓ દિવસ દરમિયાન પહેરતા હતા. આવી સ્થિતિમાં ધૂળ અને માટી પણ ત્વચાને નુકસાન પહોંચાડે છે. એનાથી ત્વચાની એલર્જી પણ થઈ શકે છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow