24 કલાક કામ-કામ કરતા હોવ તો સાવધાન!, નહીં તો ઘરથી ઑફિસના ચક્કરમાં બનશો આ ગંભીર બીમારીના ભોગ

24 કલાક કામ-કામ કરતા હોવ તો સાવધાન!, નહીં તો ઘરથી ઑફિસના ચક્કરમાં બનશો આ ગંભીર બીમારીના ભોગ

શું તમારો એવા લોકોમાં સમાવેશ થાય છે, જે ઓફિસથી ઘરે તો આવી જાય છે પરંતું સાથે સાથે કામ પણ લઈને આવે છે. ઘરે પણ તેમનુ મગજ માં કામ જ ચાલતું હોય છે. કામનું પ્રેશર તેમના પર જોવા મળે છે?  જો હા તો તમારે સાવધાન થઈ જવાની જરુર છે. આરોગ્ય નિષ્ણાંતોના મતે દિવસભર કામ વિશે વિચારવું અને વધુ પડતી ચિંતા કરવી તે તમારે શરીર પર ખૂબ જ ખરાબ અસર કરી શકે છે. તેમજ તમારા સ્વાસ્થ્યને ભારે નુકશાન પહોચાડી શકે છે. જેનાથી તમારી કામ કરવાની કાર્યક્ષમતા ઓછી થાય છે. સાથે સાથે તમે તણાવ, ચિંતા અને હતાશા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે કેટલીક ટિપ્સનો ઉપયોગ કરી શકીએ છીએ.

વ્યસ્ત શિડ્યુલમાંથી થોડો બ્રેક લઈ ફ્રેશ થાઓ
ઘણા કલાકો સુધી કામ કર્યા પછી તણાવ અનુભવવો સામાન્ય છે. આવી સ્થિતિમાં તેનાથી બચવા માટે, વ્યસ્ત શિડ્યુલમાંથી તમારા માટે થોડો સમય કાઢો અને થોડો બ્રેક લઈને તમે તણાવમાંથી દૂર થવાનો પ્રયત્ન કરો. તણાવમાંથી દૂર થવા માટે તમે મિત્રો સાથે વાત કરો, ફિલ્મ જોવો. જેથી તમે ફરી પ્રફુલ્લીત થઈને કામ કરી શકો.

ક્યારેય નકારાત્મક વિચારસરણી સાથે ન જીવો
કહેવાય છે કે આપણે જે વિચારીએ છીએ તે જ આપણી સાથે થાય છે. તેથી જ વ્યક્તિએ ક્યારેય નકારાત્મક વિચારસરણી સાથે જીવન ન જીવવું જોઈએ. તમારા કામ વિશે ક્યારેય નકારાત્મક ન બનો. આ તમારી કામ કરવાની ક્ષમતાને અસર કરશે. તે તમને માનસિક રીતે પણ પરેશાન કરી શકે છે. તેથી હંમેશા હકારાત્મક વિચારો અને નકારાત્મક વિચારોથી દૂર રહો.


અમુક સમયે તમે વિરામ લો અને બહાર ફરવા જાઓ
દરરોજ કામ કરતી વખતે મગજ થાકી જાય છે. તેથી, જીવનની ધમાલથી દૂર ક્યાંક જવાનો પ્લાન બનાવો. તેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ફાયદો થાય છે. તેથી વચ્ચે વિરામ લેતા રહો અને પરિવાર અને મિત્રો સાથે આનંદ લેવાનું ભૂલશો નહીં.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow