24 કલાક કામ-કામ કરતા હોવ તો સાવધાન!, નહીં તો ઘરથી ઑફિસના ચક્કરમાં બનશો આ ગંભીર બીમારીના ભોગ

24 કલાક કામ-કામ કરતા હોવ તો સાવધાન!, નહીં તો ઘરથી ઑફિસના ચક્કરમાં બનશો આ ગંભીર બીમારીના ભોગ

શું તમારો એવા લોકોમાં સમાવેશ થાય છે, જે ઓફિસથી ઘરે તો આવી જાય છે પરંતું સાથે સાથે કામ પણ લઈને આવે છે. ઘરે પણ તેમનુ મગજ માં કામ જ ચાલતું હોય છે. કામનું પ્રેશર તેમના પર જોવા મળે છે?  જો હા તો તમારે સાવધાન થઈ જવાની જરુર છે. આરોગ્ય નિષ્ણાંતોના મતે દિવસભર કામ વિશે વિચારવું અને વધુ પડતી ચિંતા કરવી તે તમારે શરીર પર ખૂબ જ ખરાબ અસર કરી શકે છે. તેમજ તમારા સ્વાસ્થ્યને ભારે નુકશાન પહોચાડી શકે છે. જેનાથી તમારી કામ કરવાની કાર્યક્ષમતા ઓછી થાય છે. સાથે સાથે તમે તણાવ, ચિંતા અને હતાશા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે કેટલીક ટિપ્સનો ઉપયોગ કરી શકીએ છીએ.

વ્યસ્ત શિડ્યુલમાંથી થોડો બ્રેક લઈ ફ્રેશ થાઓ
ઘણા કલાકો સુધી કામ કર્યા પછી તણાવ અનુભવવો સામાન્ય છે. આવી સ્થિતિમાં તેનાથી બચવા માટે, વ્યસ્ત શિડ્યુલમાંથી તમારા માટે થોડો સમય કાઢો અને થોડો બ્રેક લઈને તમે તણાવમાંથી દૂર થવાનો પ્રયત્ન કરો. તણાવમાંથી દૂર થવા માટે તમે મિત્રો સાથે વાત કરો, ફિલ્મ જોવો. જેથી તમે ફરી પ્રફુલ્લીત થઈને કામ કરી શકો.

ક્યારેય નકારાત્મક વિચારસરણી સાથે ન જીવો
કહેવાય છે કે આપણે જે વિચારીએ છીએ તે જ આપણી સાથે થાય છે. તેથી જ વ્યક્તિએ ક્યારેય નકારાત્મક વિચારસરણી સાથે જીવન ન જીવવું જોઈએ. તમારા કામ વિશે ક્યારેય નકારાત્મક ન બનો. આ તમારી કામ કરવાની ક્ષમતાને અસર કરશે. તે તમને માનસિક રીતે પણ પરેશાન કરી શકે છે. તેથી હંમેશા હકારાત્મક વિચારો અને નકારાત્મક વિચારોથી દૂર રહો.


અમુક સમયે તમે વિરામ લો અને બહાર ફરવા જાઓ
દરરોજ કામ કરતી વખતે મગજ થાકી જાય છે. તેથી, જીવનની ધમાલથી દૂર ક્યાંક જવાનો પ્લાન બનાવો. તેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ફાયદો થાય છે. તેથી વચ્ચે વિરામ લેતા રહો અને પરિવાર અને મિત્રો સાથે આનંદ લેવાનું ભૂલશો નહીં.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow