Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
✨ Gujarat

પ્રતિબંધિત જાળીથી 40 સમુદ્રી જીવનાં મોત

Gujaratnow1 min read
પ્રતિબંધિત જાળીથી 40 સમુદ્રી જીવનાં મોત

અબડાસા તાલુકાના જખૌ બંદરની સામે આવેલા ખિદરત ટાપુ, પિંગલેશ્વર, સિંધોડી, સુથરીના સાગરકાંઠે માત્ર બે દિવસમાં જ 5 ડોલ્ફીન અને 2 કાચબા મૃત હાલતમાં મળી આવ્યા હતા ,જેની પાછળનું કારણ માછીમારો દ્વારા વાપરવામાં આવતી પ્રતિબંધિત જાળી હોવાનું બહાર આવ્યું છે.

​​​​​​​તાજેતરમાં અબડાસાના આરીખાણાથી પિંગલેશ્વર વચ્ચેના દરિયાકાંઠે 45 ફૂટ લાંબી બ્લૂવ્હેલ માછલી મૃત તણાઇ આવી હતી. ત્યારબાદ સિંધોડી પાસે પણ આવી જ માછલી મૃત મળી આવી હતી. છેલ્લા 7 દિવસમાં જ આઆરીખાણા, પિંગલેશ્વર, સિંધોડી, સુથરી, જખૌ, ખિદરત ટાપુ વિસ્તારમાં 40 જેટલા દરિયાઇ જીવ મૃત હાલતમાં તણાઇને સાગરકાંઠે મળી આવ્યા છે. ડીકેપોસ એટલે કે, કોહવાયેલા મૃતદેહના પોસ્ટમોર્ટમ શક્ય ન હોઇ કિનારા પર જ દરિયાઇ જીવોના લોહીના નમૂના લઇને દફનાવાય છે. જો કે, ડોલ્ફીન માછલી અને મહાકાય કાચબાના શરીર પર માછીમારી માટે વપરાતી પ્રતિબંધિત જાળી મળી આવી હતી. માછીમારો જાળી નકામી થયા બાદ તેનો યોગ્ય નિકાલ ન કરી દરિયામાં જ ફેંકી દેતા હોય છે.

Gujaratnow1 min read

Related News