પ્રતિબંધિત જાળીથી 40 સમુદ્રી જીવનાં મોત

પ્રતિબંધિત જાળીથી 40 સમુદ્રી જીવનાં મોત

અબડાસા તાલુકાના જખૌ બંદરની સામે આવેલા ખિદરત ટાપુ, પિંગલેશ્વર, સિંધોડી, સુથરીના સાગરકાંઠે માત્ર બે દિવસમાં જ 5 ડોલ્ફીન અને 2 કાચબા મૃત હાલતમાં મળી આવ્યા હતા ,જેની પાછળનું કારણ માછીમારો દ્વારા વાપરવામાં આવતી પ્રતિબંધિત જાળી હોવાનું બહાર આવ્યું છે.

​​​​​​​તાજેતરમાં અબડાસાના આરીખાણાથી પિંગલેશ્વર વચ્ચેના દરિયાકાંઠે 45 ફૂટ લાંબી બ્લૂવ્હેલ માછલી મૃત તણાઇ આવી હતી. ત્યારબાદ સિંધોડી પાસે પણ આવી જ માછલી મૃત મળી આવી હતી. છેલ્લા 7 દિવસમાં જ આઆરીખાણા, પિંગલેશ્વર, સિંધોડી, સુથરી, જખૌ, ખિદરત ટાપુ વિસ્તારમાં 40 જેટલા દરિયાઇ જીવ મૃત હાલતમાં તણાઇને સાગરકાંઠે મળી આવ્યા છે. ડીકેપોસ એટલે કે, કોહવાયેલા મૃતદેહના પોસ્ટમોર્ટમ શક્ય ન હોઇ કિનારા પર જ દરિયાઇ જીવોના લોહીના નમૂના લઇને દફનાવાય છે. જો કે, ડોલ્ફીન માછલી અને મહાકાય કાચબાના શરીર પર માછીમારી માટે વપરાતી પ્રતિબંધિત જાળી મળી આવી હતી. માછીમારો જાળી નકામી થયા બાદ તેનો યોગ્ય નિકાલ ન કરી દરિયામાં જ ફેંકી દેતા હોય છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow