હોર્મોન્સને બેલેન્સ કરે, એનર્જી બૂસ્ટર કરે છે, બ્લડપ્રેશર-કોલેસ્ટેરોલ કંટ્રોલ કરે

ન્યૂટ્રિશનથી ભરપૂર અળસી શરીરને ભરપૂર પોષણતત્ત્વો આપવાની સાથે-સાથે ગંભીર બીમારીઓ દૂર કરે છે. અળસીનાં બીજમાં હેલ્ધી ફેટ્સ ઓમેગા 3 ફેટી એસિડ અને ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. આ સિવાય અળસીનાં બીજમાં વિટામિન સી, ઈ, કે, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝિંક જેવાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. અળસીનું દરરોજ સેવન કરવાથી અનેક ફાયદા થાય છે. યુનાની ડૉ. સુબાસ રાય પાસેથી જાણીએ અળસીના ફાયદા.

કુદરતે આપણને ઘણી એવી વસ્તુઓ આપી છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. અળસીના બીજ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. અળસી ખાવાના ઘણા ફાયદા છે. શું તમે જાણો છો કે ફણગાવેલી અળસીના ફાયદા અળસીનાં બીજ ખાવાની તુલનામાં વધારે છે? હા, તમે એ સાચું વાંચ્યું છે! ફણગાવેલી અળસીનાં બીજ ખાવા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક માનવામાં આવે છે.

અળસીનું સેવન સ્વાસ્થ્ય માટે કેવી રીતે વધુ ફાયદાકારક છે?
ડૉ. સુબાસ રાયના જણાવ્યા અનુસાર, જ્યારે તમે ફણગાવેલી અળસી ખાઓ છો, ત્યારે એમાં પોષણ વધારે હોય છે. જ્યારે બીજ અંકુરિત થાય છે ત્યારે અંકુરણની પ્રક્રિયા દરમિયાન અળસીમાં રહેલાં વિટામિન્સ અને લિગ્નાન્સના વધી જાય છે. તો ફણગાવેલી અળસીનાં બીજમાં 50 ટકા વધુ પ્રોટીન બાયોસ પણ હાજર છે. ફણગાવેલી અળસીનું સેવન કરવાથી પાચન અને પોષકતત્ત્વોમાં વધારો થાય છે. અળસીનાં બીજ બધાને માફક નથી આવતા, તેથી જ એને પીસીને ખાવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ તમે ફણગાવેલી અળસી ખાઓ છો તો ઘણા સ્વાસ્થ્ય લાભો મેળવી શકો છો.

ફણગાવેલી અળસીના ફાયદા
હોર્મોન્સને બેલેન્સ કરે
ફણગાવેલી અળસી ખાવાથી શરીરમાં લિગ્નાન્સને વધે છે, જે શરીરમાં હોર્મોન્સને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. લિગ્નાન્સ શરીરમાં એસ્ટ્રોજનની અસર ઘટાડે છે. એ કેન્સર સંબંધિત રોગોના જોખમને ઘટાડવામાં પણ મદદ કરે છે.

એનર્જી બૂસ્ટર છે
અળસીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. ફણગાવેલી અળસી બરાબર પચી જાય છે, જેને કારણે એ તમારું પેટ લાંબા સમય સુધી ભરપૂર રહે છે અને તમને ઊર્જાથી ભરપૂર રાખે છે. આ સાથે તેઓ ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓનું જોખમ પણ ઘટાડે છે.

મગજ માટે પણ બેસ્ટ
અળસી ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોય છે, જે મગજના સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ પોષકતત્ત્વ છે. અળસી ખાવાથી મગજ સારી રીતે કામ કરે છે. યાદશક્તિમાં પણ સુધારો કરે છે. તણાવ અને ચિંતા જેવી સમસ્યાઓથી દૂર રહે છે. ફણગાવેલી અળસીનું સેવન કરવાથી ડિમેન્શિયા જેવી માનસિક સ્થિતિનું જોખમ પણ ઓછું થાય છે.

બ્લડપ્રેશર અને કોલેસ્ટેરોલને નોર્મલ કરે
ફણગાવેલી અળસી ખાવાથી ઉચ્ચ કોલેસ્ટેરોલ ઘટાડવામાં મદદ મળે છે. હાઈ બ્લડપ્રેશર ઘટાડવાની સાથે હાર્ટની બીમારીનું જોખમ પણ ઘટાડવામાં મદદ કરે છે. અળસીમાં રહેલું આલ્ફા-લિનોલેનિક એસિડ બળતરા ઘટાડવામાં મદદ કરે છે.