બાંગ્લાદેશે કહ્યું- પાકિસ્તાન 1971ના નરસંહારની માફી માગે

બાંગ્લાદેશે કહ્યું- પાકિસ્તાન 1971ના નરસંહારની માફી માગે

બાંગ્લાદેશે પાકિસ્તાનને 1971ના નરસંહાર માટે માફી માગવા કહ્યું છે. હકીકતમાં પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન મોહમ્મદ ઇશાક ડારે બાંગ્લાદેશની મુલાકાત લીધી હતી. અહીં તેમણે કહ્યું કે બાંગ્લાદેશ સાથે 1971નો વિવાદ ઉકેલાઈ ગયો છે.

જોકે, બાંગ્લાદેશે પાકિસ્તાનના દાવાને ફગાવી દીધો. વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈને સ્પષ્ટપણે કહ્યું કે બંને દેશો વચ્ચે મજબૂત સંબંધો ફક્ત જૂના મુદ્દાઓને ઉકેલીને જ બનાવી શકાય છે.

હકીકતમાં, 1971ના યુદ્ધમાં પાકિસ્તાની સેના પર હજારો બાંગ્લાદેશી મહિલાઓ પર બળાત્કાર, હત્યા અને આગચંપીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ અંગે ઇશાક ડારે કહ્યું કે પાકિસ્તાને બે વાર બાંગ્લાદેશની માફી માગી છે.

ડારે બાંગ્લાદેશ સાથેના સંબંધો સુધારવા માટે ઇસ્લામનું પણ આહ્વાન કર્યું. પત્રકારોના એક સવાલના જવાબમાં તેમણે કહ્યું- ઇસ્લામ પણ અમને અમારા હૃદયને શુદ્ધ કરવાનું કહે છે.

ઇશાક ડાર 23 અને 24 ઓગસ્ટના રોજ બાંગ્લાદેશની બે દિવસની મુલાકાતે હતા. તેમણે ઢાકામાં બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ અને વિદેશ સલાહકારને મળ્યા.

બાદમાં પત્રકારોના સવાલોના જવાબ આપતા પાકિસ્તાની મંત્રીએ કહ્યું કે, આ મુદ્દાઓ 1974માં અને પછી 2000માં પરવેઝ મુશર્રફની મુલાકાત દરમિયાન ઉકેલાઈ ગયા હતા.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow