બાળકો મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ કરે તો સાવધાન

બાળકો મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ કરે તો સાવધાન

બીચ હોય કે પાર્ક હોય કે મોટાભાગના ઘરોમાં જ્યાં જુઓ ત્યાં લોકો પોતાના સ્માર્ટ મોબાઈલ ફોન પર માંડ્યા રહેતા જોવા મળે છે. કેટલાક પરિવારોમાં તો નાના બાળકો મોબાઈલ ફોનમાં શોશ્યલ મીડિયાના માધ્યમનો એવો ચસ્કો લાગ્યો જોવા મળે કે, બાળકને જમાડતી વખતે મોબાઈલ ફોન ચાલુ હોય ત્યારે જ બાળકને જમાડી શકાય! પરંતુ આ આદત હાનિકારક સાબિત થઈ શકે છે.

પોરબંદરમાં પણ એક એવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં 12 વર્ષના બાળકે પોતાનો જુના મોબાઈલ ફોનને બદલે નવો ફોન લેવાની જીદ કરી હતી અને આ જીદ એટલી હદે વ્યાકુળ બની કે બાળકે પોતાના ઘરમાં તોડફોડ કરી દેતાં તેના વાલીઓ સ્તબ્ધ બન્યા હતા અને બાળક પ્રત્યે ગંભીરતા દાખવી હોસ્પિટલ નો સહારો લેવો પડ્યો હતો તેવુ બાળરોગ નિષ્ણાંત તબીબ જય બદિયાણીએ જણાવ્યું હતું. તબીબે જણાવ્યું હતુંકે, મોબાઈલ ફોનની લતના કારણે બાળક આક્રમક બની ગયું હતું જેથી આ બાળકની મનોચિકત્સક પાસે રીફર કરવું પડતું હતું અને બાળકને કાઉન્સેલિંગ સેશન કરવા પડ્યા હતા.

ડો. જય બદિયાણીએ જણાવ્યું હતુંકે, બાળકો જ્યારે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે ત્યારે મગજમાં ડોયામાઈન અને એન્ડોફિન નામના ન્યુરોટ્રાન્સમીટર વધુ સ્ત્રાવ થાય છે જેથી મગજને તેની આદત પડી જાય છે. બાદ બાળકને મોબાઈલ ફોન ન મળે તો બાળકનો સ્વભાવ ચીડિયો બની જાય છે અને ખુબજ ગુસ્સો આવે છે આથી આ મોબાઈલ ફોનનું વ્યસન તમાકુ, બીડી, માવા, દારૂ કરતા પણ વધુ ખતરનાક સાબિત થાય છે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow