બાળકો મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ કરે તો સાવધાન

બાળકો મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ કરે તો સાવધાન

બીચ હોય કે પાર્ક હોય કે મોટાભાગના ઘરોમાં જ્યાં જુઓ ત્યાં લોકો પોતાના સ્માર્ટ મોબાઈલ ફોન પર માંડ્યા રહેતા જોવા મળે છે. કેટલાક પરિવારોમાં તો નાના બાળકો મોબાઈલ ફોનમાં શોશ્યલ મીડિયાના માધ્યમનો એવો ચસ્કો લાગ્યો જોવા મળે કે, બાળકને જમાડતી વખતે મોબાઈલ ફોન ચાલુ હોય ત્યારે જ બાળકને જમાડી શકાય! પરંતુ આ આદત હાનિકારક સાબિત થઈ શકે છે.

પોરબંદરમાં પણ એક એવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં 12 વર્ષના બાળકે પોતાનો જુના મોબાઈલ ફોનને બદલે નવો ફોન લેવાની જીદ કરી હતી અને આ જીદ એટલી હદે વ્યાકુળ બની કે બાળકે પોતાના ઘરમાં તોડફોડ કરી દેતાં તેના વાલીઓ સ્તબ્ધ બન્યા હતા અને બાળક પ્રત્યે ગંભીરતા દાખવી હોસ્પિટલ નો સહારો લેવો પડ્યો હતો તેવુ બાળરોગ નિષ્ણાંત તબીબ જય બદિયાણીએ જણાવ્યું હતું. તબીબે જણાવ્યું હતુંકે, મોબાઈલ ફોનની લતના કારણે બાળક આક્રમક બની ગયું હતું જેથી આ બાળકની મનોચિકત્સક પાસે રીફર કરવું પડતું હતું અને બાળકને કાઉન્સેલિંગ સેશન કરવા પડ્યા હતા.

ડો. જય બદિયાણીએ જણાવ્યું હતુંકે, બાળકો જ્યારે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે ત્યારે મગજમાં ડોયામાઈન અને એન્ડોફિન નામના ન્યુરોટ્રાન્સમીટર વધુ સ્ત્રાવ થાય છે જેથી મગજને તેની આદત પડી જાય છે. બાદ બાળકને મોબાઈલ ફોન ન મળે તો બાળકનો સ્વભાવ ચીડિયો બની જાય છે અને ખુબજ ગુસ્સો આવે છે આથી આ મોબાઈલ ફોનનું વ્યસન તમાકુ, બીડી, માવા, દારૂ કરતા પણ વધુ ખતરનાક સાબિત થાય છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow