ગુલમર્ગમાં હિમસ્ખલન, બે વિદેશી પ્રવાસીનાં મોત, 19ને બચાવાયા

ગુલમર્ગમાં હિમસ્ખલન, બે વિદેશી પ્રવાસીનાં મોત, 19ને બચાવાયા

જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં બુધવારે હિમસ્ખલનને કારણે બે વિદેશી પ્રવાસીઓનાં મોત નીપજ્યાં હતાં. નજરે જોનારાઓના જણાવ્યા પ્રમાણે અફરવાટ શિખરના હાપતખુદ કાંગડોરીમાં બપોરે 12.30 વાગ્યે બરફની 20 ફૂટ ઊંચી દીવાલ તૂટી પડી હતી. પોલેન્ડના 12 અને રશિયાના આઠ પ્રવાસી સહિત બે સ્થાનિક ગાઇડ હિમસ્ખલનમાં ફસાયા હતા. બન્ને મૃતક પોલેન્ડના છે. પોલીસના મતે, તેમને બચાવવા 14 હજાર ફૂટ ઊંચાઈની કેબલ કારનો ઉપયોગ કરાયો હતો. રેસ્ક્યૂ ઓપરેશનમાં 19ને બચાવાયા હતા.

સૂત્રોના જણાવ્યાનુસાર બે દિવસ પહેલા ભારે હિમપ્રપાત બાદ વિસ્તારમાં હિમસ્ખલનની આશંકાને કારણે બંધ જાહેર કરાયો હતો. હિમસ્ખલનની ચેતવણી આપવામાં આવી હતી કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. કાશ્મીરમાં 29 અને 30 જાન્યુઆરીએ ભારે હિમવર્ષા થઈ હતી.

આજે વરસાદની આગાહી, ઠંડીથી રાહત નહીં
જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલમાં બરફવર્ષાથી પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, યુપી, ઝારખંડ અને વિદર્ભમાં લઘુત્તમ તાપમાન 2થી 4 ડિગ્રી ઘટ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તામિલનાડુ અને કેરળના દક્ષિણી વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. સ્કાઇમેટના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી ત્રણ દિવસ સુધી જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા અને ક્યાંક ક્યાંક હળવો વરસાદ થઈ શકે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow