ઓટો ઇન્ડસ્ટ્રીઝે ક્લિન-ટેકથી પ્રેરિત મોબિલિટીને ઈવી માટે એકસાથે અનેક મોરચે કામ કરવું પડશે

ઓટો ઇન્ડસ્ટ્રીઝે ક્લિન-ટેકથી પ્રેરિત મોબિલિટીને ઈવી માટે એકસાથે અનેક મોરચે કામ કરવું પડશે

સ્થિરપણે વધી રહેલી માગ તથા સક્રિય સરકારી ઈન્સેન્ટિવ્સથી પ્રેરિત, ભારતના ઈલેક્ટ્રિક વ્હીકલ (ઈવી) ઉદ્યોગે છેલ્લા બે વર્ષમાં અનેક વૃદ્ધિ દર્શાવી છે. ઘરેલુ ફોર-વ્હીલર ઈવીનું વેચાણ 60-65,000ના આંકને ક્રોસ થવા સજ્જ છે. સ્વચ્છ ઊર્જાને વૈશ્વિક સ્તરે આત્મસાત કરાતા આ હિલચાલને વેગ મળ્યો છે. ગ્રાહકો પણ પર્યાવરણની દૃષ્ટિએ સજાગ બનવાની સાથે, હવે ઈવીને તેની વધુ સારા ઓપરેટિંગ ખર્ચ, ચાર્જિંગની સરળતા, આકર્ષક રેન્જ તથા પ્રદર્શનના ઓફરિંગ્સને લીધે ઈવીને વધુ પસંદ કરી રહ્યા છે.

ઉત્સાહને જાળવી રાખવા, ઓટો કંપનીઓએ પણ તેમના ઈવી પોર્ટફોલિયોને વૈવિધ્યસભર બનાવવાની સજ્જતા કેળવી છે, અને નવા મોડેલ્સ તથા સર્વોત્તમ પ્રદર્શનની વચનબદ્ધતા દર્શાવી રહ્યાં છે તેમ તાતા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી ઓપરેશન્સ, પ્રોડક્ટ લાઇન તથા ક્વોલિટીના વાઇસ પ્રેસિડેન્ટ આનંદ કુલકર્ણીએ જણાવ્યું હતું. વધુમાં નિર્દેશ કર્યો કે ઈવી ટેકનોલોજીની સંભવિત ઉત્ક્રાંતિને માપવા આપણે તેના પાયાગત મૂલ્યોને જોવા જરૂરી છે.

વર્તમાન બજારમાં એનસીએમ (નિકલ મેંગેનિઝ કોબાલ્ટ) અને એલએફપી (લિથિયમ આયર્ન ફોસ્ફેટ) બેટલીનું વર્ચસ્વ છે. ટોચના ઓટો ઉત્પાદકો બેટરી સ્તરે નવતર પ્રયોગો હાથ ધરીને, ઓછી ખર્ચાળ, ઊર્જામાં સઘન અને વજનમાં હલકી પાવર-પેક બનાવવા પ્રયત્નશીલ છે. સતત થઈ રહેલા સુધારાને રાસાયણિક શોધો તરફથી પણ સહાયતા મળે તેવી અપેક્ષા છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow