સ્મોલકેપ ફંડ્સમાં રોકાણકારોને આકર્ષક કમાણી આ વર્ષે સરેરાશ રોકાણકારોને 14% રિટર્ન આપ્યું

સ્મોલકેપ ફંડ્સમાં રોકાણકારોને આકર્ષક કમાણી આ વર્ષે સરેરાશ રોકાણકારોને 14% રિટર્ન આપ્યું

સ્મોલ-કેપ કેટેગરીના મ્યુચ્યુઅલ ફંડ્સે વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં સેન્સેક્સ અને નિફ્ટી સહિત લગભગ તમામ બેન્ચમાર્ક સૂચકાંકોને પાછળ રાખી દીધા હતા. સ્મોલ-કેપ ફંડ્સે જાન્યુઆરી અને જૂન વચ્ચે સરેરાશ 13.42 ટકા રિટર્ન આપ્યું છે. બીજી તરફ, સેન્સેક્સ 6.37 ટકા અને નિફ્ટી 6 ટકા સુધી વધ્યો હતો.

બીએસઇ મિડકેપને બાદ કરતાં અન્ય કોઈ બેન્ચમાર્ક ઈન્ડેક્સ 13 ટકાથી વધુ વધ્યો નથી.દેશમાં સ્મોલ-કેપ કેટેગરીમાં લગભગ 24 યોજનાઓ છે. આ તમામે આ વર્ષે જાન્યુઆરીથી જૂન વચ્ચે રોકાણકારોને પોઝિટીવ રિટર્ન આપ્યું હતું. એચડીએફસી સ્મોલ-કેપ ફંડે આ સમયગાળા દરમિયાન સૌથી વધુ 17.53 ટકા રિટર્ન આપ્યું છે. મહિન્દ્રા મનુલાઇફ સ્મોલ-કેપ ફંડ 17.51 ટકા રિટર્ન સાથે બીજા ક્રમે છે. બીજી તરફ, PGIM ઇન્ડિયા સ્મોલ-કેપ ફંડે 4.71% નું સૌથી ઓછું રિટર્ન આપ્યું છે.

2022માં કુલ રોકાણના 90% માત્ર 6 મહિનામાં
મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી બોડી એમ્ફીના અહેવાલ અનુસાર 2023ના પ્રથમ 6 મહિનામાં સ્મોલકેપ ફંડ્સમાં આશરે રૂ.18,000 કરોડનું રોકાણ થયું હતું. તેની સરખામણીમાં, સમગ્ર 2022માં આ કેટેગરીના ફંડોએ કુલ રૂ.20000 કરોડનું રોકાણ આકર્ષ્યું હતું.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow