અમદાવાદીઓ સાવધાન! હવેથી મેટ્રોમાં ગંદકી કરનારાઓની ખેર નહીં, રૂ. 5 હજારના દંડથી માંડીને થશે જેલની સજા

અમદાવાદીઓ સાવધાન! હવેથી મેટ્રોમાં ગંદકી કરનારાઓની ખેર નહીં, રૂ. 5 હજારના દંડથી માંડીને થશે જેલની સજા

દિવાળી પહેલા ગુજરાતને સરકાર તરફથી બે મોટી ભેટ આપવામાં આવી છે. જેમાં એક છે મેટ્રો ટ્રેન અને એક છે વંદે ભારત એક્સપ્રેસ. ત્યારે હવેથી અમદાવાદીઓએ મેટ્રો ટ્રેનના પ્લેટફોર્મ પર જતી વેળાએ કે ટ્રેનમાં બેસતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. એટલે કે હવેથી અમદાવાદમાં મેટ્રોને નુકસાન કરનારા સામે કાર્યવાહી કરાશે.

કોચ-પરિસરમાં પોસ્ટર ચોંટાડશે તેને 6 માસની જેલ

શહેરમાં મેટ્રો કોચને નુકસાન કરનારા સામે કડક કાર્યવાહી કરાશે. જેમાં જે પાનની પિચકારી મારશે તેને રૂપિયા 5 હજાર સુધીનો દંડ અને જેલની સજા કરાશે. જે કોચ-પરિસરમાં પોસ્ટર ચોંટાડશે તેને 6 માસની જેલ થશે. કારણ વિના જો કોઇ બેલ કે એલાર્મ વગાડશે તો તેવાને પણ 1 વર્ષની જેલની સજા થશે.

અભદ્ર વર્તન કરનારને થશે રૂ. 200નો દંડ

તદુપરાંત મેટ્રોની ટિકિટ ફોર્જ કરવા પર પણ 6 મહિનાની જેલ થશે. દારૂના નશામાં કે અભદ્ર વર્તન કરનાર અથવા તો અન્ય એવી કોઇ બાબતે રૂ. 200નો દંડ થશે તેમજ પાસ પણ જપ્ત થઇ જશે. આ સિવાય ખતરનાક કે પ્રતિબંધિત ચીજસ્તુઓ પણ ટ્રેનમાં લાવનારને 4 વર્ષ સુધીની જેલની સજા થશે.

કોચમાં કંઇ પણ લખવા પર કે દોરવા પર પણ 500 રૂપિયાનો દંડ

મેટ્રો કોચમાં લખવા પર અથવા કંઈ પણ દોરવા પર પણ 500 રૂપિયાનો દંડ ફટકારાશે. જોકે સાથે મુસાફરી દરમ્યાન જો પેસેન્જરની તબિયત બગડે તો તેને હોસ્પિટલ પહોંચાડવાની જવાબદારી મેટ્રોની રહેશે. કારણ કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા 6 હોસ્પિટલો સાથે MOU કરવામાં આવ્યા છે. આગામી સમયમાં નવી 10 જેટલી હોસ્પિટલો સાથે પણ MOU કરાશે.

Read more

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow
સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે આજે (31

By Gujaratnow