કેનેડામાં પાર્ટટાઇમ નોકરી કરનારા ભારતીય યુવાનો પર હુમલા વધ્યા

કેનેડામાં પાર્ટટાઇમ નોકરી કરનારા ભારતીય યુવાનો પર હુમલા વધ્યા

કેનેડામાં ભારતીય મૂળના લોકો પર જીવલેણ હુમલાની વધતી ઘટનાઓથી ભારતીય સમાજમાં ડરનો માહોલ છે. છેલ્લા દોઢ મહિનામાં હુમલાની આવી ત્રણ ઘટના નોંધાઇ છે. જોકે, એ પુષ્ટિ નથી થઇ કે આ પ્રકારના ગુનેગારોનું નિશાન ભારતીયો જ છે કે પછી આ રંગભેદની ઘટનાઓ છે.

કેનેડામાં ચિંતાનું કારણ એ છે કે અહીં ભારતીય યુવાનો ગુજરાન ચલાવવા મોટા પાયે પાર્ટટાઇમ નોકરીઓ કરી રહ્યા છે, જેમાંથી મોટા ભાગના મોડી રાત સુધી કામ કરે છે. આ જ મહિને આલ્બર્ટામાં સનરાજ સિંહ (24)ની હત્યા થઇ હતી, જ્યારે ડિસેમ્બરમાં ઓન્ટારિયોમાં મિસિસૌગામાં પવનપ્રીત કૌર (21)ની ગોળી મારીને હત્યા કરાઈ.

નવેમ્બરમાં બ્રિટિશ કોલમ્બિયામાં મહકપ્રીત સેઠી (18)ની ચપ્પુ મારી હત્યા કરાઈ.સાઉથ એશિયન હેરિટેજ એસોસિયેશન ઓફ હેમિલ્ટન એન્ડ રિજનના પ્રેસિડેન્ટ ખુરશીદ અહમદનું કહેવું છે કે અહીં સર્વિસ સેક્ટરમાં ઘણા ભારતીયો છે અને તેમણે ઘણી વાર મોડી રાત સુધી ઘરની બહાર રહેવું પડે છે. આ સ્થિતિમાં તેમની વિરુદ્ધ હિંસા વધી રહી છે.

ગ્રેટર ટોરોન્ટોના સ્કારબરોમાં રહેતા અને ડિલિવરી સર્વિસ કરતા યુવરાજ મોંગિયા કહે છે કે ગેસ સ્ટેશન અને મોટા સ્ટોર જેવાં સ્થળે રાતની પાળીમાં ફક્ત એક વ્યક્તિ ફરજ પર હોય છે એટલે ખતરો ઘણો વધી જાય છે. મહકપ્રીત સાથે ઘણું ખોટું થયું. જો અહીં જીવન સુરક્ષિત ના હોય, તો રહેવાનો શું ફાયદો. અહમદ કહે છે કે હું અલીગઢથી 50 વર્ષ પહેલાં અહીં આવ્યો હતો. ત્યારે એશિયનો વિરુદ્ધ રંગભેદ ચરમસીમાએ હતો. ત્યારે ઘણી વાર આવી ઘટનાઓ નોંધાતી, પરંતુ છેલ્લા દસકામાં ફરી આવી હિંસા વધી છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow