પાકિસ્તાનમાં હિન્દુ મંદિર પર રોકેટ લોન્ચરથી હુમલો!

પાકિસ્તાનમાં હિન્દુ મંદિર પર રોકેટ લોન્ચરથી હુમલો!

પાકિસ્તાનના સિંધના કાશમોરમાં રવિવારે સવારે એક હિન્દુ મંદિર પર રોકેટ લોન્ચરથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ મંદિર અને આસપાસના હિંદુ સમુદાયના ઘરો પર પણ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગોળીબારનો અવાજ સાંભળીને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં સુધીમાં હુમલાખોરો ભાગી ગયા હતા.

પાકિસ્તાનમાં 48 કલાકમાં હિન્દુ મંદિરમાં તોડફોડની આ બીજી ઘટના છે. આ પહેલા શુક્રવારે રાત્રે કરાચીમાં 150 વર્ષ જૂના હિન્દુ મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોએ જણાવ્યું કે રાત્રે માતાના મંદિર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. તે સમયે આ વિસ્તારમાં વીજળી નહોતી.

હુમલા સમયે મંદિર બંધ હતું
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે રવિવારના હુમલા વખતે મંદિર બંધ હતું, તેથી વધારે નુકસાન થયું નથી. હુમલાખોરોએ મંદિર પાસે રહેતા હિન્દુ સમુદાયના લોકોના ઘરો પર પણ હુમલો કર્યો હતો.

પ્રારંભિક તપાસ મુજબ હુમલાખોરો 8થી 9 લોકો હતા. પોલીસે તેમને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પાકિસ્તાની મીડિયા ડોન અનુસાર બાગડી સમુદાય દ્વારા આયોજિત ધાર્મિક સેવાઓ માટે મંદિર દર વર્ષે ખોલવામાં આવે છે.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow