ભાયાવદરમાં 50 મણ ઘઉંના લોટના લાડવા બનાવી ગાયોને ખવડાવ્યા

ભાયાવદરમાં 50 મણ ઘઉંના લોટના લાડવા બનાવી ગાયોને ખવડાવ્યા

જેને સેવા કરવી જ છે તેને પ્રસિધ્ધિની કશી પડી જ હોતી નથી અને મુંગા મોઢે અબોલ પશુઓની સેવા ચાકરી કરતા હોય છે. ભાયાવદરમાં એવા બે ગ્રુપ કાર્યરત છે કે જેના સભ્યો દર વર્ષે ઉત્તરાયણની અલગ જ ઉજવણી કરે છે. આ વખતે 50 મણ ઘઉંના લોટના લાડવા બનાવી મુંગા પશુઓને ખવડાવવામાં આવ્યા હતા, જે માટે સભ્યો આખા શહેરમાં ફરી વળ્યા હતા.

ભાયાવદરમાં સતત અગિયાર વર્ષથી ઉત્તરાયણ પર્વની ઉજવણીના સેવાકીય ભાગ રૂપે શહેરના બે ગ્રુપ જેમાં ક્રિષ્ના અને ઉમિયાજી ગ્રુપના 80 યુવાનો દ્વારા આ સેવાકાર્ય કરાયું છે. ભાયાવદર શહેરમાંથી કોઈ પ્રકારનો ફાળો લીધા વગર શહેરમાં રખડતા અને પાંજરાપોળમાં રહેલા મૂંગા પશુઓ માટે ઘઉંના લાડવા તેમજ શેરી નાકામાં રખડતા શ્વાનો માટે બિસ્કીટનું વિતરણ કરીને સેવાકીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

મૂંગા પશુઓ માટે બનાવામાં આવેલા લાડવામાં 10 કટા ઘઉં,10 ડબ્બા ગોળ,10 ડબ્બા તેલ, 2 કિલો તલ જેવી સામગ્રી વાપરવામાં આવી હતી અને શ્વાનો માટે 60 કિલો બિસ્કિટની વ્યવસ્થા કરવામાં આવી હતી .તેમજ આ તમામ પ્રકારની વસ્તુઓ જે બનાવવા આવે છે તેવા ત્રણ કંદોઈ એક પણ પૈસો લીધા વગર આ સેવાકાર્યમાં ફાળો આપી રહ્યા છે.

Read more

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યા

By Gujaratnow
સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુ

By Gujaratnow