ધંધો સરખો ચાલતો ન હોવાથી કારખાનેદારે ફાંસો ખાઇ લીધો

ધંધો સરખો ચાલતો ન હોવાથી કારખાનેદારે ફાંસો ખાઇ લીધો

શહેરની ભાગોળે આવેલી કોઠારિયાની રાધેશ્યામ સોસાયટીમાં કારખાનેદારે ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો. કારખાનું બરોબર ચાલતું નહીં હોવાથી આર્થિક ખેંચથી કંટાળી પગલું ભર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું, તેમજ ભક્તિપાર્કમાં માથાના દુખાવાથી કંટાળી પરિણીતાએ એસિડ પી આપઘાત કરી લીધો હતો. કોઠારિયામાં આવેલી રાધેશ્યામ સોસાયટીમાં રહેતા ભરતભાઇ હકાભાઇ ચોથાણી (ઉ.વ.44)એ પોતાના ઘરે છતના હૂકમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસ દોડી ગઇ હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ભરતભાઇ કારખાનું ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. કેટલાક સમયથી ધંધો બરોબર ચાલતો નહીં હોવાથી આર્થિક ખેંચ ઊભી થતાં કંટાળીને અંતિમ પગલું ભરી લીધું હતું. અન્ય એક બનાવમાં રેલનગર પાસેના ભક્તિપાર્કમાં રહેતા શોભનાબેન રાજદીપસિંહ સરવૈયા (ઉ.વ.22)એ સોમવારે પોતાના ઘરે એસિડ પી લેતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow