નવું વર્ષ શરૂ થતાં જ ઘરના મુખ્ય દ્વાર પર લગાવો આ ચીજ, ક્યારેય નહીં ખૂટે ધનનો ભંડાર

નવું વર્ષ શરૂ થતાં જ ઘરના મુખ્ય દ્વાર પર લગાવો આ ચીજ, ક્યારેય નહીં ખૂટે ધનનો ભંડાર

નવા વર્ષે વાસ્તુના કરો આ ઉપાય

નવુ વર્ષ થોડા દિવસો બાદ શરૂ થવાનુ છે. વર્ષ પૂર્ણ થતા દરેક વ્યક્તિના નવા સપના, આશા જાગી જાય છે કે આવનારું વર્ષ કેવુ હોવુ જોઈએ. દરેક માણસની ઈચ્છા હોય છે કે નવુ વર્ષ ખુશી અને સુખ-સમૃદ્ધીથી ભરેલુ હોય. તેમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે. એવામાં વાસ્તુ શાસ્ત્રમાં અમુક એવી વસ્તુઓ અંગે જણાવવામાં આવ્યું છે, જેને કરવાથી આખુ વર્ષ સારું જશે. આ સાથે ધન-ધાન્યમાં વધારો થશે.

નવા વર્ષે મેન દરવાજે લગાવો આ વસ્તુઓ

ઘોડાની નાળ

વાસ્તુ શાસ્ત્રમાં ઘોડાની નાળનુ ઘણુ મહત્વ છે. જેને સૌભાગ્યનુ પ્રતિક માનવામાં આવે છે. જેને મેન દરવાજે લગાવવાથી નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકતી નથી. જેની સાથે સુખ-સમૃદ્ધી પ્રાપ્ત થાય છે.

બનાવો ધાર્મિક પ્રતીક

વાસ્તુ શાસ્ત્ર મુજબ, મુખ્ય દ્વારમાં સાથિયો, ઓમ, ક્રોસ વગેરેનુ ચિન્હ બનાવી શકો છો અથવા આર્ટીફિશિયલ લગાવી શકો છો. જેને પણ પ્રવેશ દ્વારમાં લગાવવાથી સુખ-સમૃદ્ધી પ્રાપ્ત થાય છે.

ભગવાન ગણેશની મૂર્તિ

ઘરમાં ખુશી અને સુખ-સમૃદ્ઘી જાળવી રાખવા માટે મુખ્ય દ્વારમાં ગણેશજીનુ ચિત્ર અથવા પછી મૂર્તિ અવશ્ય લગાવો. ઘરના મુખ્ય દરવાજાની અંદરની બાજુએ લગાવો. જેનાથી પીઠ બહારની બાજુ રહેશે. ગણપતિની મૂર્તિ બહારની બાજુ લગાવવાથી ધનનો અભાવ સર્જાય છે.

તાંબાનો સૂર્ય

વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરના મુખ્ય દ્વારની દીવાલમાં તાંબાનો સૂર્ય લગાવવો શુભ માનવામાં આવે છે. સૂર્યના પ્રતીકને ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધી મળે છે. આ સાથે કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થાય છે. તેથી નવા વર્ષમાં સુખ-સમૃદ્ધી મેળવવા માટે મુખ્ય દ્વારમાં તાંબામાંથી બનાવેલો સૂર્ય અવશ્ય લગાવો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow