ઇજિપ્તમાં શિક્ષણ સ્તર ઘટતાં બાળકોને ખાનગી સંસ્થામાં અભ્યાસ માટે પરિવારોએ ખર્ચ ઘટાડ્યો

ઇજિપ્તમાં શિક્ષણ સ્તર ઘટતાં બાળકોને ખાનગી સંસ્થામાં અભ્યાસ માટે પરિવારોએ ખર્ચ ઘટાડ્યો

ઇજિપ્ત સરકાર છેલ્લાં કેટલાંક વર્ષમાં દેશના અર્થતંત્રને સંભાળવામાં નિષ્ફળ રહી છે. શિક્ષણ જે કોઇ પણ દેશની ઉન્નતિનો આધાર મનાય છે. તે હવે ઇજિપ્તના મધ્યમ વર્ગીય પરિવારો માટે હતાશાનું કારણ બન્યું છે. વધતી વસતી અને શિક્ષણ પર બંધારણીય 4%થી ઓછો ખર્ચ કરવાથી અહીંની જાહેર સ્કૂલોનું શિક્ષણ સ્તર ઘટી રહ્યું છે. આ સ્થિતિમાં 35% મોંઘવારી સામે ઝઝૂમી રહેલા પરિવારોને પોતાનાં બાળકોના અભ્યાસ માટે મજબૂરીથી મોંઘી ખાનગી સંસ્થાઓ તરફ જવું પડ્યું છે.

ઇજિપ્તના લોકો સરકારની તુલનામાં શિક્ષણ પર દોઢ ગણો વધુ ખર્ચ કરે છે. જે અન્ય દેશોની તુલનામાં ખૂબ વધુ છે. લોકોનું કહેવું છે કે શિક્ષણ જ તેમનાં બાળકોના ભવિષ્યને ઉજ્જ્વળ બનાવી શકે છે એટલે તેઓ પોતાનો ખર્ચ પણ ઘટાડી રહ્યા છે. નિષ્ણાતોના મતે શિક્ષણ પાછળ ઓછો ખર્ચ સાર્વજનિક સ્કૂલોને ખતમ કરે છે. તે શિક્ષકોને સાર્વજનિક કક્ષાને બદલે શ્રેષ્ઠ જીવન આપતી ખાનગી સંસ્થાઓમાં પોતાનો સમય અને મહેનત કરવા પ્રોત્સાહિત કરે છે. બે વર્ષ પહેલાં ઇજિપ્તની સરકારે પરીક્ષામાં ફેરફાર કર્યો હતો. તે કોઇ પણ વિષયના રટણને બદલે તેને સમજવા પર જોર મૂકવાનો પ્રયાસ હતો. તેનો ઉદ્દેશ્ય આ ખાનગી સંસ્થાઓના વ્યાપને ઘટાડવાનો પણ હતો, કારણ કે આ સંસ્થાઓમાં ગોખવાની પદ્ધતિને જ પ્રાથમિકતા અપાય છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow