કેશોદ બેઠક પર ભાજપે દેવાભાઈ માલમને રિપિટ કરતા અરવિંદ લાડાણી નારાજ!

કેશોદ બેઠક પર ભાજપે દેવાભાઈ માલમને રિપિટ કરતા અરવિંદ લાડાણી નારાજ!

વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોમાં રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. ત્યારે કેશોદ વિધાનસભાની સીટ પર પાટીદાર સમાજના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. કેશોદ ભાજપમાં ગાબડું પડ્યું છે. પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ભાજપ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. કેશોદ વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવાર દેવા માલમને ટિકિટ અપાતા વિવાદ સર્જાયો છે. અરવિંદ લાડાણીએ નારાજગી સાથે રાજીનામું આપું અને હવે અપક્ષમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

કેશોદ વિધાનસભા સીટમાં ભારતીય જનતા પાર્ટીમાંથી પાર્ટી પાસે મે ટિકિટ માગી હતી. જોકે, અનિવાર્ય સંજોગોએ પાર્ટીએ જે નિર્ણય લીધો છે તે શિરોમાન્ય છે. વધુમા અરવિંદ લાડાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 1983થી ભારતીય જનતા પાર્ટીની સેવા કરી છે. 2017 સુધી પાર્ટીએ ધારાસભ્યની ટિકિટ આપતા લોકો વચ્ચે રહી લોકોની સેવા કરી છે. ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન 560 કરોડના વિકાસના કામો કર્યા છે. છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ મને આ વખતે ટિકિટ નથી આપી.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow