Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
Rajkot crime news

રાજકોટમાં 14 લાખની સોનાની બૂટીઓ સાથે કારીગર નાસી છૂટ્યો

Gujaratnow1 min read
રાજકોટમાં 14 લાખની સોનાની બૂટીઓ સાથે કારીગર નાસી છૂટ્યો

મૂળ પ.બંગાળના અને હાલ રાજકોટના હાથીખાના મેઇન રોડ, શિવા મહારાજ-1 શેરીમાં રહીને સોની બજારમાં શિવ દુર્ગા જ્વેલર્સ નામની દુકાન ધરાવતા સૌમેન રામચંદ્ર સામંતાએ પ.બંગાળના સુવાજી મલય કોયલા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. વેપારીની ફરિયાદ મુજબ, સુવાજી કોયલા તેમને ત્યાં છેલ્લા એક વર્ષથી સોનાની મજૂરીકામ કરતો હોવાથી તેના પર પૂરો વિશ્વાસ હતો.

દરમિયાન ગત તા.15ના રોજ સવારે દુકાનેથી સુવાજીને રૂ.14.04 લાખની કિંમતની 312 ગ્રામ સોનાની 107 જોડી બૂટીનું પાલિશ કરાવવા માટે નજીકમાં આવેલા ઝવેરી ચેમ્બરમાં બિમલભાઇની દુકાને મોકલ્યો હતો. સુવાજી ગયાના અડધી કલાક પછી પણ તે પરત દુકાને નહિ આવતા વેપારી બિમલભાઇને ફોન કરી સુવાજીને બૂટીઓ પાલિશ કરવા મોકલ્યો હોવાનું અને તે ત્યાં આવી ગયો છે કે કેમ તે અંગે પૂછપરછ કરી હતી. ત્યારે વેપારીએ હજુ સુધી કોઇ આવ્યું ન હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Gujaratnow1 min read

Related News