રાજકોટમાં 14 લાખની સોનાની બૂટીઓ સાથે કારીગર નાસી છૂટ્યો

રાજકોટમાં 14 લાખની સોનાની બૂટીઓ સાથે કારીગર નાસી છૂટ્યો

મૂળ પ.બંગાળના અને હાલ રાજકોટના હાથીખાના મેઇન રોડ, શિવા મહારાજ-1 શેરીમાં રહીને સોની બજારમાં શિવ દુર્ગા જ્વેલર્સ નામની દુકાન ધરાવતા સૌમેન રામચંદ્ર સામંતાએ પ.બંગાળના સુવાજી મલય કોયલા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. વેપારીની ફરિયાદ મુજબ, સુવાજી કોયલા તેમને ત્યાં છેલ્લા એક વર્ષથી સોનાની મજૂરીકામ કરતો હોવાથી તેના પર પૂરો વિશ્વાસ હતો.

દરમિયાન ગત તા.15ના રોજ સવારે દુકાનેથી સુવાજીને રૂ.14.04 લાખની કિંમતની 312 ગ્રામ સોનાની 107 જોડી બૂટીનું પાલિશ કરાવવા માટે નજીકમાં આવેલા ઝવેરી ચેમ્બરમાં બિમલભાઇની દુકાને મોકલ્યો હતો. સુવાજી ગયાના અડધી કલાક પછી પણ તે પરત દુકાને નહિ આવતા વેપારી બિમલભાઇને ફોન કરી સુવાજીને બૂટીઓ પાલિશ કરવા મોકલ્યો હોવાનું અને તે ત્યાં આવી ગયો છે કે કેમ તે અંગે પૂછપરછ કરી હતી. ત્યારે વેપારીએ હજુ સુધી કોઇ આવ્યું ન હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow