મુખ્ય આરોપી રમેશબાબુના બહેનની સંડોવણી ખુલતા ધરપકડ

મુખ્ય આરોપી રમેશબાબુના બહેનની સંડોવણી ખુલતા ધરપકડ

રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ ઉપર આવેલ એક્સીસ બેંક અને એટીએમમાંથી બે માસ પૂર્વે એટલે કે ગત 13 જાન્યુઆરીએ 500ના દરની 31 નકલી નોટો મળી આવી હતી. આ અંગે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા રાજકોટ અને અમરેલીના પાંચ શખસો સાથે પુનાના સપ્લાયર અને મુખ્ય સુત્રધાર તેલંગાણાના શખસની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેલંગાણાના શખસની પુછપરછમાં તેની બહેનની સંડોવણી ખુલતા આજ રોજ પોલીસે હૈદરાબાદ જેલ ખાતેથી ટ્રાન્સફર વોરંટ આધારે કબ્જો મેળવી ધરપકડ કરવામાં આવી છે. અગાઉ આ કેસમાં પોલીસ દ્વારા 3443 જાલી નોટો કબ્જે કરી 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

500ના દરની 31 નકલી નોટો મળી આવી હતી
એ ડિવિઝન પોલીસે જાલી નોટ કૌભાંડમાં તેલંગાણાના મુખ્ય આરોપી રમેશબાબુની ધરપકડ કરતા તેની પુછપરછમાં તેની બહેનની સંડોવણી હોવાનું ખુલતા તેની તપાસ કરતા મળી આવેલ ન હતી જેમાં સ્થાનિક પોલીસની પણ મદદ લેવામાં આવી હતી. આ પછી 20.02.2023 ના રોજ રામેશ્વરી ઉર્ફે અનુ કસ્તુરી હૈદરાબાદ ખાતે 26 લાખ કિંમતની રૂપિયા 500 ના દરની 5200 જાલી નોટ સાથે ઝડપાઈ હતી જેથી આજરોજ પોલીસે મહિલા આરોપીની ટ્રાન્સફર વોરંટ આધારે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મહિલા આરોપી રામેશ્વરી ઉર્ફે અનુ કસ્તુરી અગાઉ 2022 માં પણ પોલીસના હાથે જાલીનોટના કેસમાં પકડાઈ ચુકી હોવાનું સામે આવ્યું છે.

કેસમાં પોલીસ દ્વારા 7 આરોપીની ધરપકડ કરવામાં આવી
એ ડિવિઝન પીઆઈ કે.એન.ભૂકણ અને ટીમે આંગડીયા મારફતે બેંકમાં નકલી નોટો ઘૂસાડવાના કૌભાંડમાં મૂળ અમરેલીના રાજુલાના હાલ રાજકોટમાં રહેતા ભરત મેરામભાઇ બોરીચા, રાજકોટના તેજસ રાજુ જસાણી, વિમલ બીપીનભાઈ થડેશ્વર, મયુર બીપીનભાઈ થડેશ્વર અને ગુરુપ્રિતસિંગ ઘનશ્યામદાસ કારવાણીની ધરપકડ કરી હતી. આ લોકોની પૂછપરછમાં પુનાના કમલેશ શીવનદાસ જેઠવાણીની સંડોવણી ખુલતા પોલીસે તેને પણ પુનાથી દબોચી લીધો હતો અને 6 શખસ પાસેથી 15,84,500ની કિમતની 3443 નકલી નોટો કબજે કરી હતી.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow