મોદીની હત્યાની વાત કરનાર કોંગ્રેસ નેતાની ધરપકડ!

મોદીની હત્યાની વાત કરનાર કોંગ્રેસ નેતાની ધરપકડ!

મોદીની હત્યાની વાત કરનાર કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી રાજા પટેરિયાની મંગળવારે સવારે 5.30 વાગ્યે તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. પટેરિયા તેમના વતન દમોહના હટામાં હતા. અહીંથી જ પોલીસે તેમની ધરપકડ કરી હતી. પટેરિયાએ 11 ડિસેમ્બરે એક સભામાં કહ્યું- જો લોકશાહીને બચાવવી હોય તો મોદીની હત્યા માટે તૈયાર રહો. તેના અર્થમાં તેમને હરાવવાનું કામ કરો.

તેમના આ નિવેદન બાદ ભાજપ આક્રમક બની ગયું છે. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પટેરિયા સામે FIR માટે સૂચના આપી હતી. તે પછી તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. પન્નાના પવઇ પોલીસ સ્ટેશનમાં પટરિયા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ તરફ મુખ્યમંત્રી શિવરાજ સિંહે જણાવ્યું હતું કોંગ્રેસની સાચી લાગણીઓ છત્તી થઈ ગઈ છે.

પટેરિયાએ માફી માંગી, કોંગ્રેસ નોટિસ આપી શકે છે
જોકે, પટેરિયાએ સોમવારે રાત્રે પોતાના નિવેદન માટે માફી માંગી હતી. બીજી તરફ કોંગ્રેસ તેમને નોટિસ આપી શકે છે. પટેરિયાએ પહેલા પણ કહ્યું હતું કે તેઓ ગાંધીને માનનારા છે અને ગાંધીને માનતા લાકો હત્યાની વાત કરી શકે નહીં. મારો વીડિયો ખોટી રીતે પ્રકાશિત કરવામાં આવ્યો છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow