મોદીની હત્યાની વાત કરનાર કોંગ્રેસ નેતાની ધરપકડ!

મોદીની હત્યાની વાત કરનાર કોંગ્રેસ નેતાની ધરપકડ!

મોદીની હત્યાની વાત કરનાર કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી રાજા પટેરિયાની મંગળવારે સવારે 5.30 વાગ્યે તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. પટેરિયા તેમના વતન દમોહના હટામાં હતા. અહીંથી જ પોલીસે તેમની ધરપકડ કરી હતી. પટેરિયાએ 11 ડિસેમ્બરે એક સભામાં કહ્યું- જો લોકશાહીને બચાવવી હોય તો મોદીની હત્યા માટે તૈયાર રહો. તેના અર્થમાં તેમને હરાવવાનું કામ કરો.

તેમના આ નિવેદન બાદ ભાજપ આક્રમક બની ગયું છે. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પટેરિયા સામે FIR માટે સૂચના આપી હતી. તે પછી તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. પન્નાના પવઇ પોલીસ સ્ટેશનમાં પટરિયા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ તરફ મુખ્યમંત્રી શિવરાજ સિંહે જણાવ્યું હતું કોંગ્રેસની સાચી લાગણીઓ છત્તી થઈ ગઈ છે.

પટેરિયાએ માફી માંગી, કોંગ્રેસ નોટિસ આપી શકે છે
જોકે, પટેરિયાએ સોમવારે રાત્રે પોતાના નિવેદન માટે માફી માંગી હતી. બીજી તરફ કોંગ્રેસ તેમને નોટિસ આપી શકે છે. પટેરિયાએ પહેલા પણ કહ્યું હતું કે તેઓ ગાંધીને માનનારા છે અને ગાંધીને માનતા લાકો હત્યાની વાત કરી શકે નહીં. મારો વીડિયો ખોટી રીતે પ્રકાશિત કરવામાં આવ્યો છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow