આ ત્રણ વસ્તુઓ સાથે એલોવેરા મિશ્ર કરીને લગાવવાથી ચહેરા પરના ડાઘ, ખીલ અને કરચલી થશે દૂર

આ ત્રણ વસ્તુઓ સાથે એલોવેરા મિશ્ર કરીને લગાવવાથી ચહેરા પરના ડાઘ, ખીલ અને કરચલી થશે દૂર

દરેક વ્યક્તિ લાંબા સમય સુધી યુવાન અને સુંદર દેખાવાની ઈચ્છા રાખે છે, પરંતુ આજના સમયમાં ડાઘ ધબ્બા, ખીલ અને કરચલીઓના કારણે ફેસ બ્યુટી પર ખૂબ જ ખરાબ અસર પડે છે.  

અનેક લોકો આ સમસ્યાથી રાહત મેળવવા માટે કેમિકલ બેઝ્ડ પ્રોડક્ટનો ઉપયોગ કરે છે, પરંતુ તેના કારણે ત્વચાને નુકસાન થઈ શકે છે. આ પરિસ્થિતિમાં તમે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. એલોવેરામાંથી જે જેલ નીકળે તે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.  

જેના કારણે ચહેરો સુંદર અને યુવાન બને છે. એલોવેરાનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

ત્વચા માટે એલોવેરાનો ઉપયોગ કેવી રીતે કરવો?

એલોવેરા અને ગુલાબજળ

એલોવેરા અને ગુલાબ જળને મિશ્ર કરીને તેનો ઉપયોગ કરવાથી ચહેરો યુવાન અને સુંદર બને છે. ઉપરાંત રેશેઝ અને ખંજવાળ પણ દૂર થાય છે. એલોવેરા ત્વચાની એલર્જી દૂર કરવા માટે પણ ઉપયોગી છે. એલોવેરાની મદદથી ત્વચાની તમામ પરેશાનીઓ દૂર થાય છે.

એલોવેરા અને દહીં

એલોવેરા અને દહીંને ત્વચા માટે લાભકારક માનવામાં આવે છે. આ મિશ્રણનો માસ્ક તરીકે ઉપયોગ કરવામાં આવે તો ચહેરો વધુ ચમકીલો બને છે. દહીમાં રહેલ પ્રોબાયોટિક્સને કારણે ચહેરાની રંગતમાં સુધારો આવે છે. ઉપરાંત એન્ટિબેક્ટેરિયલ ગુણના કારણે ડાઘ ધબ્બા પણ દૂર થાય છે.

એલોવેરા અને મધ

એલોવેરા અને મધનું મિશ્રણ ચહેરા માટે ખૂબ જ લાભકારી છે. તેનાથી સ્કીન વધુ સોફ્ટ બને છે. આ પેસ્ટ નિયમિતરૂપે લગાવવાથી ચહેરા પરના ડાઘ ધબ્બા, કરચલી અને શુષ્કતા દૂર થાય છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow