Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
📌 Rajkot

એપલને બે માસમાં ખામીયુક્ત એરપોડ્સ બદલી આપવા હુકમ

Gujaratnow1 min read
એપલને બે માસમાં ખામીયુક્ત એરપોડ્સ બદલી આપવા હુકમ

રાજકોટની જિલ્લા ગ્રાહક તકરાર નિવારણે વિશ્વની જાણીતી કંપની સામે ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપ્યો છે. રાજકોટના ઉદ્યોગપતિ હિમાંશુભાઇ બામરોલિયાએ 2022ના જાન્યુઆરી મહિનામાં મલ્ટિનેશનલ કંપની એપલના રૂ.20 હજારની કિંમતના એરપોડ્સ ખરીદ કર્યા હતા. મોંઘા એરપોડ્સ ખરીદ કર્યાના બે મહિનામાં તે ચાર્જ થતા ન હોય જ્યાંથી ખરીદ કર્યા હતા ત્યાંના સર્વિસ સેન્ટરમાં રિપેરિંગ માટે મોકલ્યા હતા.

દસ દિવસ સર્વિસ સેન્ટરમાં એરપોડ્સ રાખ્યા બાદ પરત પોતાને આપતા 10 જ દિવસમાં ફરી તે જ પ્રશ્ન ઉપસ્થિત થતા કંપનીમાં જઇ એરપોડ્સ રિપ્લેસ કરી આપવાની વાત કરી હતી, પરંતુ સર્વિસ સેન્ટર દ્વારા રિપ્લેસ કરી આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ મુદ્દે એપલ કંપનીમાં બે મહિના સુધી મેલ, ચેટ તેમજ ફોન દ્વારા આ બાબતે જાણ કરવા છતાં પોતાને યોગ્ય પ્રત્યુત્તર મળ્યો ન હતો. જેથી ન્યાય માટે રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમાબેન માવાણી મારફતે રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણમાં એપલ કંપનીના ડીલર અને સર્વિસ સેન્ટર સામે ફરિયાદ કરી દાદ માંગી હતી.

Gujaratnow1 min read

Related News