રાજકોટમાં કોઈ ‘વીજબિલ બાકી છે, કનેક્શન કપાઇ જશે’જેવા મેસેજથી રહેવા PGVCLના MDની અપીલ

રાજકોટમાં કોઈ ‘વીજબિલ બાકી છે, કનેક્શન કપાઇ જશે’જેવા મેસેજથી રહેવા PGVCLના MDની અપીલ

સોશિયલ મીડિયાના ઉપયોગે આપણું જીવન તો સરળ બનાવી દીધું છે. પણ આ જ સોશિયલ મીડિયાનો કેટલાક લોકો ગેરલાભ ઉઠાવીને આપણી સાથે છેતરપિંડી કરે છે. આ લોકોના કારણે નિર્દોષ લોકો ભોગ બને છે. અત્યારે સાયબર માફિયાઓ PGVCL અને અલગ અલગ મોટી કંપનીઓના નામ આપીને આપણી સાથે છેતરપિંડી કરે છે. એવામાં રાજકોટમાં અત્યારે PGVCLના કર્મચારી હોવાનું કહીને મોટા મોટા ફ્રોડ કરવામાં આવી રહ્યા છે. જેની પોલીસ ફરિયાદ પણ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ અંગે PGVCLના MDએ અપીલ કરી છે કે, કોઈ ‘વીજબિલ બાકી છે, કનેક્શન કપાઇ જશે’નો મેસેજ કરે તો દૂર રહેજો.

સાયબર માફિયાઓ પોતે PGVCLના કર્મચારી હોવાનું કહીને બાકી બિલ ભરવાનું કહીને લીંક મોકલે છે અને પોતાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવી લે છે. આ માફિયાઓ લોકોને 'ડીઅર કસ્ટમર તમારું વીજ કનેક્શન બાકી છે, તમારું વીજ કનેક્શન કટ થઇ જશે.' આવો મેસેજ કરે છે. બાદમાં ફોન કરીને પણ તમને જાણ કરે છે. આથી તમે બિલ ભરી દો અને બિલ ભરવા માટે લિંક પણ મોકલે છે.

Read more

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યા

By Gujaratnow
સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુ

By Gujaratnow