Anushka Sharma અને વિરાટ કોહલીએ ગુજરાતીનો ફ્લેટ ભાડે લીધો, લાખોમાં છે મહિનાનું ભાડું

Anushka Sharma અને વિરાટ કોહલીએ ગુજરાતીનો ફ્લેટ ભાડે લીધો, લાખોમાં છે મહિનાનું ભાડું

અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ મુંબઈના જુહુ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટ ભાડે લીધું છે. તેમના ફ્લેટનું ભાડું 2.76 લાખ રૂપિયા પ્રતિ માસ હોવાનું કહેવાય છે. જુહુના બીચ એરિયા પાસે સ્થિત વિરાટ અને અનુષ્કાનું આ સી-ફેસિંગ એપાર્ટમેન્ટ હાઈ ટાઈડ બિલ્ડિંગના ચોથા માળે છે.

મીડિયા રિપો્ર્ટ અનુસાર વિરાટ કોહલીએ આ એપાર્ટમેન્ટ માટે 7.50 લાખ રુપિયા જ ડિપોઝીટ આપી છે. 1650 સ્ક્વાયર ફીટના આ ફ્લેટ માટે 17 ઓક્ટોબરના રોજ ડીલ ડન થઈ ગઈ હતી. આ ફ્લેટથી મુંબઈના સમુદ્રનો ખાસ નજારો જોવા મળે છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ જે ફ્લેટ ભાડા પર લીધો છે, તે 55 વર્ષ પહેલા પૂર્વ ક્રિકેટર સમરજીત સિંહ ગાયકવાડનો છે. સમરજીત સિંહ ગાયકવાડ ગુજરાતના વડોદરાના રોયલ પરિવારના વંશજ છે. આ ફ્લેટની સાથે વિરાટ-અનુષ્કાને 2 અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ પણ મળ્યું છે. આ ફ્લેટને ભાડા પર લેવા માટે વિરાટ અને અનુષ્કા તરફથી કોઈ અધિકારિક નિવેદન સામે આવ્યું નથી.

આ પહેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ મહારાષ્ટ્રના અલીબાગના જિરાદ ગામમાં 8 એકર જમીન ખરીદ્યી હતી. આ જમીન રાયગડ જિલ્લામાં છે. આ જમીન માટે મશહુર કપલે 19.24 કરોડ રુપિયા આપ્યા હતા. રિપોર્ટસ મુજબ જમીન રજીસ્ટ્રેટ 1 સપ્ટેમ્બર 2022 થઈ હતી. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પાસે મુંબઈ અને ગુડગાંવમાં આલીશાન ઘર છે.

Read more

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow
સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે આજે (31

By Gujaratnow