જમીન પર કબજો કરવાનો ફરી એકવાર પ્રયાસ!

જમીન પર કબજો કરવાનો ફરી એકવાર પ્રયાસ!

ગુજરાત રાજસ્થાન બોર્ડરના વાછોલ ગામમાં રાજસ્થાન સરકાર દ્વારા જમીન પર કબજો કરવાના ફરી એકવાર પ્રયાસ થતા હડકંપ મચ્યો છે. રાજસ્થાનમાં નલસે જલ યોજના હેઠળ ખેતર સુધી પાણી આપવાની યોજના છે. જેમાં સોમવારે ગુજરાતની જમીનમાંથી રાજસ્થાનના ખેતર સુધી પાઇપલાઇન નાખી દીધી હોવાની ઘટના બનતા વાછોલના જાગૃત સરપંચે પાઇપલાઇન કઢાવી દીધી હતી. ગત વર્ષે પણ રાજ. સરકારના અધિકારીઓએ ગુજરાતની સીમામાં વાછોલ ગામ હદ વિસ્તારમાં હદબાણ લગાવી દેવાયા હતા, સમગ્ર મામલાની તંત્રને જાણ છતાં કોઈ કાર્યવાહી હજુ કરવામાં આવી નથી.

રાજસ્થાન સરકાર દ્વારા જમીન પર કબજો કરવાના ફરી એકવાર પ્રયાસ
જાલોર જિલ્લાનું રાણીવાડા તાલુકાનું છેલ્લું ગામ બામણવાડા જે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના વાછોલ ગામની હદની બિલકુલ અડીને આવેલું છે. સોમવારે વાછોલ ગામના સરપંચને સરહદી વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતનો ફોન આવ્યો કે રાજસ્થાનનો કોન્ટ્રાક્ટર અહીં પાઇપલાઇન નાખવાની કામગીરી પંચાયતની ગૌચરની જમીનમાં કરી રહ્યો છે જેથી તરંત સરપંચ નરેશભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કામગીરી અટકાવી પાણીની પાઇપલાઇન કઢાવી નાખી હતી. કોન્ટ્રાક્ટરને ઠપકો આપીને જણાવ્યું હતું કે તમારે ગુજરાતની હદમાં પાઇપલાઇન નાખવી નહીં.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow