અનિલ અંબાણીને EDની લુકઆઉટ નોટિસ મળી

અનિલ અંબાણીને EDની લુકઆઉટ નોટિસ મળી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ₹3000 કરોડના લોન ફ્રોડના કેસમાં અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (ADAG)ના ચેરમેન અનિલ અંબાણી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનિલ અંબાણીને તપાસ અધિકારીની મંજૂરી વિના ભારત છોડવાની મંજૂરી નથી. જો તેઓ વિદેશ પ્રવાસ કરવાનો પ્રયાસ કરે છે, તો તેમને એરપોર્ટ અથવા બંદર પર અટકાયતમાં લઈ શકાય છે.

અગાઉ, EDએ આ કેસમાં અનિલ અંબાણીને સમન્સ મોકલ્યું હતું. ED 5 ઓગસ્ટે તેમની પૂછપરછ કરશે. ગયા અઠવાડિયે, ED એ મુંબઈ અને દિલ્હી સહિત અનિલની 50થી વધુ કંપનીઓ અને સ્થળો પર દરોડા પાડ્યા હતા. 25થી વધુ લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

આ દરોડો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ 17 હેઠળ પાડવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, આ કેસમાં પૂછપરછ માટે આ સમન્સ મોકલવામાં આવ્યું છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow