અનિલ અંબાણીને EDની લુકઆઉટ નોટિસ મળી

અનિલ અંબાણીને EDની લુકઆઉટ નોટિસ મળી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ₹3000 કરોડના લોન ફ્રોડના કેસમાં અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (ADAG)ના ચેરમેન અનિલ અંબાણી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનિલ અંબાણીને તપાસ અધિકારીની મંજૂરી વિના ભારત છોડવાની મંજૂરી નથી. જો તેઓ વિદેશ પ્રવાસ કરવાનો પ્રયાસ કરે છે, તો તેમને એરપોર્ટ અથવા બંદર પર અટકાયતમાં લઈ શકાય છે.

અગાઉ, EDએ આ કેસમાં અનિલ અંબાણીને સમન્સ મોકલ્યું હતું. ED 5 ઓગસ્ટે તેમની પૂછપરછ કરશે. ગયા અઠવાડિયે, ED એ મુંબઈ અને દિલ્હી સહિત અનિલની 50થી વધુ કંપનીઓ અને સ્થળો પર દરોડા પાડ્યા હતા. 25થી વધુ લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

આ દરોડો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ 17 હેઠળ પાડવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, આ કેસમાં પૂછપરછ માટે આ સમન્સ મોકલવામાં આવ્યું છે.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow