શાપરમાં TV, રમતના મેદાન સાથેનું આંગણવાડી કેન્દ્ર શરૂ

શાપરમાં TV, રમતના મેદાન સાથેનું આંગણવાડી કેન્દ્ર શરૂ

કોટડાસાંગાણી તાલુકાના શાપર ગામે આંગણવાડી કેન્દ્ર નં.8 આજે સૌરાષ્ટ્રની પ્રથમ આધુનિક આંગણવાડી કેન્દ્ર બની છે. અહીં દાતાઓના સહયોગથી બાળકોના સર્વાંગી વિકાસ માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેનું ઉદ્ઘાટન જિલ્લા વિકાસ અધિકારી અને દાતાઓ દ્વારા કરી બાળકો માટે ખુલ્લી મુકાઇ છે.

આંગણવાડી કેન્દ્રમાં બાળકોના સર્વાંગી વિકાસનો પાયો નખાતો હોય છે. ત્યારે શાપરમાં હાલના સમય મુજબની આધુનિક આંગણવાડી દાતાઓના સહયોગથી ખુલ્લી મૂકવામાં આવી હતી. આંગણવાડી કેન્દ્ર નં.8 પહેલા ભાડાના મકાનમાં ચાલતી હતી, જેને ગ્રામપંચાયત દ્વારા પૂરતી જમીન ફાળવવામાં આવી છે. આ આંગણવાડી કેન્દ્રમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે હોલ બનાવવામાં આવ્યો છે જેમાં ટીવી અને મ્યુઝિક સિસ્ટમ, ઇન્ડોર રમત માટે એક રૂમ જ્યારે આઉટડોર રમત માટે મેદાન સાથે રમતોના સાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.  

ભોજન માટે અલાયદો રૂમ પણ છે જ્યારે આ આંગણવાડીમાં લીમડો, આંબળા, ચીકુ, નારિયેળી સહિતના વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે. ખાનગી નર્સરી જેવા શાપરના આંગણવાડી કેન્દ્ર 8મા બાળકો માટે શિક્ષણની આધુનિક સેવા સાથે ફાયર સેફ્ટીની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે. ત્યારે આ વિસ્તારમાં બાળકોના ભવિષ્યના ઘડતર માટે આ આધુનિક આંગણવાડી કેન્દ્ર મોડેલરૂપ બની રહ્યું છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow