રાજકોટ રણુજા મંદિરે જતા વૃદ્ધનું મંદિર નજીક કારની ઠોકરે મોત

રાજકોટ રણુજા મંદિરે જતા વૃદ્ધનું મંદિર નજીક કારની ઠોકરે મોત

અકસ્માતના વધુ બે બનાવમાં શહેરની ભાગોળે રણુજા મંદિરે દર્શન કરવા જઇ રહેલા વૃધ્ધનું મંદિર નજીક કારની ઠોકરે મોત નીપજ્યું હતું તેમજ આજી ડેમ ચોકડી નજીક બે ટ્રક વચ્ચે ટક્કર થતાં એક ટ્રકના ચાલક કચ્છના પ્રાગપર ગામના પ્રૌઢનું મૃત્યુ થયું હતું.

કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાસેની ઋષિપ્રસાદ સોસાયટીમાં રહેતા વલ્લભભાઇ નુભાઇ મારૂ (ઉ.વ.72) સોમવારે સવારે નિત્યક્રમ મુજબ પોતાના ઘરેથી ચાલીને રણુજા મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા. વલ્લભભાઇ મંદિર નજીક પહોંચ્યા હતા ત્યારે એક કાર ધસી આવી હતી અને વલ્લભભાઇને ઉલાળ્યા હતા. અકસ્માત સર્જી કારચાલક નાસી ગયો હતો. લોકોએ વૃદ્ધને હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વલ્લભભાઇ બે બહેનના એકના એક ભાઇ હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. પોલીસે બનાવ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Read more

રાજકોટ મનપાની સામાન્ય સભામાં 4 નગરસેવકો હાથ-કમરે પાટા બાંધીને પહોંચ્યા

રાજકોટ મનપાની સામાન્ય સભામાં 4 નગરસેવકો હાથ-કમરે પાટા બાંધીને પહોંચ્યા

રાજકોટ મનપાની સામાન્ય સભા (જનરલ બોર્ડ) આજે તોફાની બન્યું હતું. જેમાં વિરોધ પક્ષના કોર્પોરેટરોએ ખાડા મુદ્દે વિરોધ કરતા સામાન્ય સભા બહાર

By Gujaratnow
રાજકોટમાં પાનના ધંધાર્થી પર બે શખસનો સોડાબોટલથી હુમલો, મારી નાખવા ધમકી આપી

રાજકોટમાં પાનના ધંધાર્થી પર બે શખસનો સોડાબોટલથી હુમલો, મારી નાખવા ધમકી આપી

રાજકોટ શહેરમાં જાણે ખાખીનો ખોફ જ ન રહ્યો હોય એમ દર બે-ત્રણ દિવસે લુખ્ખાઓએ આતંક મચાવ્યો હોવાના સમાચાર સામે આવે છે. આજે(19 જુલાઈ) વધુ

By Gujaratnow