રાજકોટ રણુજા મંદિરે જતા વૃદ્ધનું મંદિર નજીક કારની ઠોકરે મોત

રાજકોટ રણુજા મંદિરે જતા વૃદ્ધનું મંદિર નજીક કારની ઠોકરે મોત

અકસ્માતના વધુ બે બનાવમાં શહેરની ભાગોળે રણુજા મંદિરે દર્શન કરવા જઇ રહેલા વૃધ્ધનું મંદિર નજીક કારની ઠોકરે મોત નીપજ્યું હતું તેમજ આજી ડેમ ચોકડી નજીક બે ટ્રક વચ્ચે ટક્કર થતાં એક ટ્રકના ચાલક કચ્છના પ્રાગપર ગામના પ્રૌઢનું મૃત્યુ થયું હતું.

કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાસેની ઋષિપ્રસાદ સોસાયટીમાં રહેતા વલ્લભભાઇ નુભાઇ મારૂ (ઉ.વ.72) સોમવારે સવારે નિત્યક્રમ મુજબ પોતાના ઘરેથી ચાલીને રણુજા મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા. વલ્લભભાઇ મંદિર નજીક પહોંચ્યા હતા ત્યારે એક કાર ધસી આવી હતી અને વલ્લભભાઇને ઉલાળ્યા હતા. અકસ્માત સર્જી કારચાલક નાસી ગયો હતો. લોકોએ વૃદ્ધને હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વલ્લભભાઇ બે બહેનના એકના એક ભાઇ હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. પોલીસે બનાવ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow