Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
📌 Rajkot

રાજકોટ રણુજા મંદિરે જતા વૃદ્ધનું મંદિર નજીક કારની ઠોકરે મોત

Gujaratnow1 min read
રાજકોટ રણુજા મંદિરે જતા વૃદ્ધનું મંદિર નજીક કારની ઠોકરે મોત

અકસ્માતના વધુ બે બનાવમાં શહેરની ભાગોળે રણુજા મંદિરે દર્શન કરવા જઇ રહેલા વૃધ્ધનું મંદિર નજીક કારની ઠોકરે મોત નીપજ્યું હતું તેમજ આજી ડેમ ચોકડી નજીક બે ટ્રક વચ્ચે ટક્કર થતાં એક ટ્રકના ચાલક કચ્છના પ્રાગપર ગામના પ્રૌઢનું મૃત્યુ થયું હતું.

કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાસેની ઋષિપ્રસાદ સોસાયટીમાં રહેતા વલ્લભભાઇ નુભાઇ મારૂ (ઉ.વ.72) સોમવારે સવારે નિત્યક્રમ મુજબ પોતાના ઘરેથી ચાલીને રણુજા મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા. વલ્લભભાઇ મંદિર નજીક પહોંચ્યા હતા ત્યારે એક કાર ધસી આવી હતી અને વલ્લભભાઇને ઉલાળ્યા હતા. અકસ્માત સર્જી કારચાલક નાસી ગયો હતો. લોકોએ વૃદ્ધને હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વલ્લભભાઇ બે બહેનના એકના એક ભાઇ હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. પોલીસે બનાવ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Gujaratnow1 min read

Related News